- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિવાદ
- દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ
- સેના શક્ય તેટલી નૈતિકતા બતાવી રહી છે: નેતન્યાહુ
ગાઝામાં નરસંહાર કરવાના ઇઝરાયેલ પર દક્ષિણ આફ્રિકાના આરોપ પર ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું છે કે, અમારી સેના શક્ય તેટલી નૈતિક રીતે અભિયાન ચલાવી રહી છે.
મળતી માહિતી મુજબ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હવે વિવાદનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવીને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ દાખલ કર્યો છે. હવે નેતન્યાહુએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ રવિવારે કહ્યું કે, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયેલ દ્વારા જે પ્રકારની નૈતિકતા દેખાડવામાં આવી છે તેનો કોઈ મેળ નથી. તેલ અવીવમાં કેબિનેટની બેઠક દરમિયાન નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે ગાઝામાં અમારી સંરક્ષણાત્મક લડાઈની નૈતિકતા અને ન્યાય બેજોડ છે અને અમે તેને ચાલુ રાખીશું.













