• ઇઝરાયેલ ઈરાનને ધમકી આપી
  • હિઝબુલ્લાહ હમાસ સાથે યુદ્ધમાં કૂદી પડશે તો ઈરાન પર હુમલો કરશે
  • જો લેબનીઝ આતંકવાદીઓ ઈઝરાયેલ પર હુમલો કરશે તો ઈરાનના મૌલવીઓ ધરતી પરથી ભૂંસાઈ જશે

ઇઝરાયેલ હાલમાં હમાસ સાથે યુદ્ધ લડી રહ્યું છે. આ જોઈને તેના ઘણા દુશ્મનો સક્રિય થઈ ગયા છે. લેબનોનનું હિઝબુલ્લાહ આ યુદ્ધમાં કૂદી શકે છે જેને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલે પણ તૈયારીઓ કરી લીધી છે. ઈઝરાયેલે ધમકી આપી છે કે જો હિઝબુલ્લાહ હમાસ સાથે યુદ્ધમાં કૂદી પડશે તો ઈરાન પર હુમલો કરશે અને કહ્યું હતું કે તે 'સાપની ગરદન કાપી નાખશે'. ઈઝરાયેલે કહ્યું હતું કે જો લેબનીઝ આતંકવાદીઓ ઈઝરાયેલ પર હુમલો કરશે તો ઈરાનના મૌલવીઓ ધરતી પરથી ભૂંસાઈ જશે.

ઈઝરાયેલના અર્થતંત્ર મંત્રી નીર બરકતે આ ટિપ્પણી કરી છે. તેમનું માનવું છે કે હિઝબુલ્લાહ લેબનોન બોર્ડરથી નવો મોરચો ખોલી રહ્યું છે. રવિવારે ડેઈલીમેલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, 'અમે ફક્ત તે મોરચે જ બદલો નહીં લઈએ પરંતુ અમે તેના સાપના માથા સુધી જઈશું જે ઈરાન છે.'  આ આપણા દુશ્મનો માટે ખૂબ જ સ્પષ્ટ ચેતવણી છે. તેણે જોવું જોઈએ કે ગાઝામાં શું થઈ રહ્યું છે. જો તેઓ અમારા પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તેમની સાથે પણ એવું જ થશે.


ઈરાનને ભારે કિંમત ચૂકવવી પડશે

ઈરાનના સર્વોચ્ચ નેતાને પણ ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે જો હિઝબુલ્લાહ હુમલો કરશે તો તેની રાતોની ઊંઘ હરામ થઈ જશે અને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. બરકાતે કહ્યું હતું કે જો લેબનોન તેના પ્રદેશને લોન્ચ પેડ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તો તેની સાથે પણ તે જ થશે જે હમાસ સાથે થઈ રહ્યું છે. આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે ઈઝરાયેલે શનિવારે ગાઝામાં મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કરીને હમાસને નષ્ટ કરવાનું વચન આપ્યું હતું.

લેબનોન તરફથી ગોળીબાર

છેલ્લા કેટલાક દિવસોથી હિઝબુલ્લાહ આતંકવાદીઓ અને ઈઝરાયેલ વચ્ચે ગોળીબાર જોવા મળી રહ્યો છે. આના કારણે ઈઝરાયેલ ટૂંક સમયમાં બે મોરચે યુદ્ધ લડશે તેવી આશંકા જન્મી છે. ઇઝરાયેલે પશ્ચિમ કાંઠે 600 થી વધુ વોન્ટેડ પેલેસ્ટિનિયનોની ધરપકડ કર્યા પછી તણાવ વધુ વધ્યો છે જેમાંથી 450 હમાસ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે શનિવારે રાહત સામગ્રી સાથે 20 ટ્રક ગાઝા પહોંચ્યા હતા.

  • Follow us on: