વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોનું દરેકનું આગવુ સ્થાન છે. જે સ્થાનમાં ફેરફાર થાય તો તેની અસર દેશ દુનિયા પર જોવા મળે છે. તેમાં પણ સૂર્ય દેવનું તો ખાસ મહત્વ છે. સૂર્યની સ્થિતિમાં થોડો પણ ફેરફાર થાય તો તેની અસર દેખાય જ છે. સૂર્યને આત્મા, પિતા, માન સન્માન અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. હાલ સૂર્ય દેવ ચંદ્રની રાશિ કર્કમાં બિરાજમાન છે. ત્યારે આજે સૂર્યનું વરુણ દેવ સાથે સંયોગ થઇ રહ્યો છે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે.













