- અન્ય તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશી શ્રેષ્ઠ ગણાય
- ભીમે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું
- તેથી જ તેને ભીમ અગીયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે
હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. નિર્જળા એકાદશી તેમાંથી એક છે. અન્ય તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશી શ્રેષ્ઠ ગણાય છે. ભીમે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું. તેથી જ તેને ભીમ અગીયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. નિર્જળા એકાદશીના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ નિર્જળા એકાદશી પર તુલસી સંબંધિત કેટલાક સરળ ઉપાય.
નિર્જળા એકાદશીનો ઉપાયઃ પ્રસાદમાં તુલસીજીના પાન મુકો
નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે જે પણ ચરણામૃત અને પંજીરીનો ભોગ તૈયાર કરવામાં આવે છે, તેમાં તુલસીના પાન અવશ્ય નાખો. આ પછી જ ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ માટે તુલસીજીના પાન ભેળવવાથી ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિ માટે ધનની કમી નથી રહેતી.

નિર્જળા એકાદશી ઉપાયઃ તુલસીની પ્રદક્ષિણા કરો
નિર્જળા એકાદશીના દિવસે સાંજે તુલસીના છોડમાં ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો. આ ઉપરાંત તુલસીના છોડની 11 વાર પ્રદક્ષિણા કરો. આ ઉપાયથી જો ઘરમાં કલેશ હોય તો તે સમાપ્ત થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
નિર્જળા એકાદશી ઉપાયઃ તુલસીજી પાસે દીવો પ્રગટાવો
નિર્જળા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. જો કોઈનું કામ ન થઈ રહ્યું હોય તો આ દિવસે તુલસીની સામે દીવો પ્રગટાવો અને તુલસી માતાની આરતી કરો. જો કે ખાસ ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ.
નિર્જળા એકાદશી ઉપાયઃ તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરો.
તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરો. લાલ ચુંદડી સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. લાલ ચુંદડી તુલસીજીને ચડાવવાથી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.માતા વૃંદાને લાલ વસ્ત્રો ખુબજ પ્રિય છે.