- રક્ષાબંધનના દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું
- લક્ષ્મીજી અને વિષ્ણુજીને ખીરનો પ્રસાદ ધરાવો
- રક્ષાબંધનના દિવસે સવારે અને સાંજે દેવી લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવો
આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનમાં કોઈ મુશ્કેલી કે અવરોધો ન હોય. મોટાભાગના લોકો પૈસાની અછતથી ઝઝૂમી રહ્યા છે. જીવનમાં મોટાભાગની સમસ્યાઓ પૈસાના અભાવે ઊભી થાય છે. સંબંધોમાં ખટાશ પણ અમુક અંશે પૈસા સાથે સંબંધિત છે. ગુરુ નાનકજીએ આ દુનિયાના દુ:ખ વિશે કહ્યું છે, 'નાનક, દુખિયા સબ સંસાર' જીવનમાં આ દુઃખોનો સામનો કેટલાક હસીને કરી રહ્યા છે તો કેટલાક રડીને. કેટલાક નોકરી શોધી રહ્યા છે, કેટલાક નોકરી બદલવા માંગે છે. જો તમે પણ તમારા જીવનમાં આર્થિક મજબૂતી ઈચ્છો છો, તો રક્ષાબંધન એટલે કે 19 ઓગસ્ટના રોજ ધન પ્રાપ્તિ માટે કરો આ વાસ્તુ ઉપાયો કરો.
રક્ષાબંધનની સવારે સૂર્યને જળ અર્પિત કરો
રક્ષાબંધનના દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું, સ્નાન વગેરે કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. સૂર્યને જળ આપતા પહેલા તેમાં રોલી અને ગુલાબ કે ડોલરફૂલ નાખવા જોઈએ. સૂર્યને જળ ચઢાવવાથી સૂર્ય શુભ બને છે અને તમારું ભાગ્ય બળવાન બને છે. તેનાથી તમારી આર્થિક તંગી પણ દૂર થાય છે.
હનુમાનજીની પૂજા કરો
જો તમે તમારી નોકરી અને જીવનને પરેશાનીઓથી મુક્ત રાખવા માંગો છો, તો તમારે હનુમાનજીની પૂજા શરૂ કરવી જોઈએ. નિયમિત રીતે હનુમાનજીની પૂજા, દીવો પ્રગટાવીને, સાંજે ધૂપ અને ફૂલ ચઢાવવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
રક્ષાબંધનના દિવસે સવારે અને સાંજે લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવો
દરરોજ સવાર-સાંજ ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય પણ ધન અને ધાન્યની કમી નથી રહેતી. સવારે અને સાંજે ભગવાનની પૂજા કરવી જોઈએ અને ઘીનો દીવો પ્રગટાવીને તેમનો આભાર માનવો જોઈએ. ખાસ કરીને રક્ષાબંધનના દિવસે સવારે અને સાંજે દેવી લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવો.
લક્ષ્મીજી અને વિષ્ણુજીને ખીરનો પ્રસાદ ધરાવો
જો તમે તમારા ઘરમાંથી આર્થિક તંગી દૂર કરવા માંગો છો તો રક્ષાબંધનના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખીર અવશ્ય ચઢાવો. આ તમારા જીવનમાંથી તમામ નાણાકીય સમસ્યાઓ દૂર કરે છે. તમને પણ દેવી લક્ષ્મીની કૃપા મળવા લાગે છે.