- શારદીય નવરાત્રિ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થશે
- આ વર્ષે નવરાત્રિ 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે
- મા દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ સુધી વિધિવત પૂજા કરવામાં આવશે
હિંદુ કેલેન્ડર મુજબ શારદીય નવરાત્રિ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થઈ રહી છે. આ વર્ષે નવરાત્રિ 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે, જે 24 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ વર્ષે મા દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ સુધી વિધિવત પૂજા કરવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની નવરાત્રિ ખૂબ જ ખાસ છે કારણ કે અનેક પ્રકારના રાજયોગ રચાઈ રહ્યા છે.
બુધાદિત્ય યોગ
30 વર્ષ પછી શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં રહેશે. આ સાથે બુધ અને સૂર્ય કન્યા રાશિમાં હોવાને કારણે બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ સાથે બુધ પોતાની રાશિમાં હોવાથી ભદ્ર રાજયોગ રચી રહ્યો છે અને શનિ પોતાની રાશિમાં હોવાને કારણે ષશ રાજયોગ રચાઈ રહ્યો છે. શારદીય નવરાત્રિ કેટલાક લોકો માટે ખૂબ જ ખાસ બનવાની છે. આ રાશિના જાતકોને ધનમાં વૃદ્ધિની સાથે સમાજમાં માન-સન્માન મળશે. આ સાથે, તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. ચાલો જાણીએ કઈ રાશિ માટે શારદીય નવરાત્રિ સારી રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને બુધાદિત્ય યોગ, ભદ્ર રાજયોગની રચનાથી વિશેષ લાભ મળશે. તમને માતા દુર્ગા તરફથી અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર સરળતાથી શરૂ થઈ શકે છે.
મકર રાશિ
આ રાજયોગ આ રાશિના લોકો માટે સમૃદ્ધિ લાવી શકે છે. તમને દેવી દુર્ગા તરફથી અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે. શારદીય નવરાત્રિ દરમિયાન વાહન, મિલકત ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શારદીય નવરાત્રિ ખૂબ જ સારી રહેવાની છે. ભદ્રા, બુધાદિત્ય સાથે ષશ રાજયોગની રચના થવાથી આ રાશિના જાતકોને માતા અંબેના વિશેષ આશીર્વાદ મળશે. આવી સ્થિતિમાં સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.