• નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે
  • નવરાત્રિનો પ્રથમ દિવસ મા શૈલપુત્રીની પૂજા થાય છે
  • માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે

શારદીય નવરાત્રિ રવિવાર 15મી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે અને 24મી ઑક્ટોબરને મંગળવારે દશેરા સાથે નવરાત્રિ સમાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પ્રથમ દિવસ મા શૈલપુત્રીની પૂજા થાય છે. દેવી દર્ગાનું પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી છે માતાજી શ્વેત વસ્ત્ર (સફેદ વસ્ત્રો )પહેરીને તે વૃષભ પર સવારી કરે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. માતા શૈલપુત્રીને સ્નેહ, ધૈર્ય અને શાંતિનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. શૈલપુત્રીની પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓ પોતાની પસંદગીનો પતિ મેળવી શકે છે.

ધન, ઐશ્વર્ય અને સૌભાગ્ય મળે

માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. મા શૈલપુત્રીની વિધિવત પૂજા-અર્ચના કરવાથી સારું આરોગ્ય અને માન-સન્માનનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ મા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને ધન, ઐશ્વર્ય અને સૌભાગ્ય મળે છે.

આ રીતે કરો પૂજા વિધિ

1. મા શૈલપુત્રીની પૂજા કરતા પહેલા શુભ સમયે ઘટસ્થાપન કરો.

2. મા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુનો ઉપયોગ કરો.

3. ઘરની પૂર્વ દિશામાં પૂજા કરવાની જગ્યા પર લાલ કપડું રાખીને મા દુર્ગાની ફોટો લગાવો.

4. મા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, સોપારી, સોપારી, હળદર, લવિંગ, નારિયેળ, સોળ શૃંગાર વસ્તુઓ અર્પણ કરો.

5. મા શૈલપુત્રીને મીઠાઈમાં રસગુલ્લાનો ભોગ લગાવો.

6. ધૂપ-અગરબત્તી સાથે મા દુર્ગાના મંત્રનો જાપ કરો.

નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કર્યા બાદ દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી, સંસ્કૃતમાં, બે શબ્દોનું સંયોજન છે - 'શૈલ' જેનો અર્થ થાય છે પર્વત અને 'પુત્રી' જેનો અર્થ થાય છે પુત્રી. પુરાણો અનુસાર, દેવી સતીના આત્મદાહ પછી, પર્વત રાજા હિમાલયના ઘરે પાર્વતીનો જન્મ થયો હતો. તેથી જ તેમનું નામ શૈલપુત્રી છે.

  • Follow us on: