• અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ અને તલના તેલનો ઉપયોગ કરો.
  • જો અખંડ જ્યોતિ 9 દિવસમાં ઓલવાઈ જાય તો તમે મા દુર્ગા પાસે ક્ષમા માંગો
  • ફરીથી દીવો પ્રગટાવી શકો છો

શારદીય નવરાત્ર પ્રારંભ રવિવાર, તા. 15-10-2023થી થાય છે. આ નવરાત્રીમાં ઘણાં શ્રાદ્ધાળુ મુમુક્ષુ ભક્તજનો મા અંબિકા, મા કાલી, મા દુર્ગા, મા ચામુંડા, મહાશક્તિ સાધના- અનુષ્ઠાન યા ભક્તિ-પ્રાર્થના અથવા કેવળ ઉપવાસ-આરતી કરે છે. આમ અનુકૂળતા મુજબ ઉપાસના થાય છે. ઘણાં ઉચ્ચ કક્ષાના સાધકો અને શાસ્ત્ર્રીઓ વદ્વાન પંડિતો દશ મહાવિદ્યાઓથી સાધના અનુષ્ઠાન કરી પોતાની આંતરિક સુષુપ્ત ચેતનાશક્તિને જાગ્રત કરવા મંત્રજાપ વિધિસર કરે છે. સામાન્ય વ્યક્તિઓએ કેવળ શ્રાદ્ધા-શક્તિ મુજબ ભક્તિ કરવી જોઈએ. આ સમયમાં શ્રી શક્તિ સાધના દ્વારા વિવિધ મંત્રસિદ્ધિ કરી શકાય જેવા કે અંબિકા યંત્ર, કાલિ યંત્ર, દુર્ગા યંત્ર, દશવિદ્યા યંત્ર વગેરે સિદ્ધ કરવા ઉત્તમ છે.

પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે 

નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રજ્વલ્લિત કરવાનું ખાસ મહત્ત્વ રહેલુ છે. પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. અખંડ જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે. તે જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે. જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે તેને નવરાત્રિના આખા 9 દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે.

નવ દિવસોમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે 

જો આ નવ દિવસોમાં તે ઓલવાઈ જાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જો કે, અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા છે, જે જાણવું આવશ્યક છે. જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો, તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ અથવા તલના તેલનો ઉપયોગ કરો. આ તેલથી અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ.

 દીવાની જ્યોત પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય

દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુ તેલનો દીવો રાખો, તેના પર થોડા ચોખા, કાળા તલ અથવા અડદની દાળ રાખો. દીવાની જ્યોત પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય. દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ. 

નવ દિવસ સુધી દીવો જલતો રાખવા માટે દીવામાં ઘી કે તેલ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. દીવો ઓલવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, દીવાને કાચની ચીમનીથી આવરી લેવી જોઈએ. જો નવ દિવસ દરમિયાન કોઈપણ સમયે દીવો ઓલવાઈ જાય તો દેવી માતા પાસે ક્ષમા માગો અને ફરીથી દીવો પ્રગટાવો. જો નવ દિવસ પૂરા થવા છતાં પણ દીવો પ્રગટેલો હોય તો તેને ફૂંક મારીને કે અન્ય કોઈ રીતે ઓલવવો નહીં, બલ્કે તે પોતાની મેળે બુઝાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ.

  • Follow us on: