- શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે
- આ વખતે શ્રાવણ 22મી જુલાઈથી શરૂ થશે (ઉત્તરભારતમાં)
- ગુજરાતમાં 5 ઓગસ્ટે પવિત્ર શ્રાવણની શરઆત થશે
હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ આખો મહિનો લોકો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. તેમજ ભક્તો દર સોમવારે ભગવાન શિવ માટે ઉપવાસ રાખે છે અને તેમના આશીર્વાદ મેળવવા શિવાલયની મુલાકાત લે છે. કહેવાય છે કે આ શુભ સમયે ભગવાન શિવના મંદિરના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ સમયે, જો આ સમયગાળા દરમિયાન 12 જ્યોતિર્લિંગમાંથી કોઈપણ એકના દર્શન કરવામાં આવે તો જીવનના તમામ પાપો ધોવાઇ જાય છે.
સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા
સોમનાથ જ્યોતિર્લિંગ 12 મુખ્ય જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે. સોમનાથ જ્યોતિર્લિંગને પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવનો વાસ છે અને જે ભક્તો અહીં દર્શન માટે જાય છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત કુંડળીમાંથી ચંદ્રની અશુભ અસર પણ દૂર થઈ જાય છે.
આ રીતે આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ પડ્યું
શિવપુરાણ અનુસાર, એકવાર રાજા દક્ષે કોઈ કારણસર ચંદ્ર ભગવાનને શ્રાપ આપ્યો હતો કે તેમનો પ્રકાશ દિવસે દિવસે ઓછો થતો જશે, જેની અસરને સમાપ્ત કરવા માટે તેમણે સરસ્વતી નદી પાસે આ દિવ્ય જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી અને ભગવાન ચંદ્રમાએ આ સ્થાન પર કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભોલેનાથે તેમના શાપનો હંમેશ માટે અંત કર્યો. આ પછી ચંદ્રે ભગવાન મહાદેવને જ્યોતિર્લિંગના રૂપમાં અહીં નિવાસ કરવાની પ્રાર્થના કરી. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની પ્રાર્થના પૂરી કરી હતી.
ચંદ્રદેવને સોમના નામથી પણ ઓળખવામાં આવે છે
ચંદ્રદેવને સોમના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેમણે ભગવાન શિવને પોતાના નાથ માનીને તપસ્યા કરી હતી, જેના કારણે આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ પડ્યું હતું. ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીંયા જવાથી વ્યક્તિના તમામ દુ:ખનો અંત આવે છે.