• આ વખતે માતા હાથી પર સવાર થઇ આવી રહ્યા છે
  • આ ઉપરાંત તે વધુ વરસાદનો પણ સંકેત આપે છે
  • નવરાત્રિને શુભ કાર્યો માટે શુભ માનવામાં આવે છે

રવિવારથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે માતા હાથી પર સવાર થઇ આવી રહ્યા છે. હાથી પર માતા રાણીનું આગમન શુભ છે. આ ઉપરાંત તે વધુ વરસાદનો પણ સંકેત આપે છે.નવરાત્રિને શુભ કાર્યો માટે શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમામ ઘરોમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ગ્રહ પ્રવેશ, ભૂમિપૂજન, નામકરણ વિધિ જેવા શુભ કાર્યો પણ કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી અનેકગણું ફળ મળે છે.

માતા દુર્ગા નવરાત્રિ દરમિયાન ભક્તોના ઘરોમાં વાસ કરે 

ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા દુર્ગા નવરાત્રિ દરમિયાન ભક્તોના ઘરોમાં વાસ કરે છે. આ સમય દરમિયાન, ભક્તો પવિત્રતા સાથે દેવી દુર્ગાની પૂજા કરે છે. જો કે લગ્ન થતા નથી આની પાછળ એ કારણ છે કે લગ્ન સંતાન પ્રાપ્તિ અને વંશ વધારવાના હેતુથી કરવામાં આવે છે, તેથી તે પ્રતિબંધિત છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. આ કારણે નવરાત્રિ દરમિયાન લગ્ન નથી થતા.

દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે 

દુર્ગા પૂજા દરમિયાન, 09 દિવસ સુધી સંપૂર્ણ શુદ્ધતા અને પવિત્રતા જાળવી રાખીને દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, શારીરિક અને માનસિક શુદ્ધતા માટે ઉપવાસ રાખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસોમાં લોકો સાત્વિક ખોરાક જ ખાય છે અને માંસ, દારૂ વગેરેથી દૂર રહે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સર્જન શરૂ થયું ત્યારે પ્રથમ પાક જવ હતો. તેથી, જો આ સમયગાળા દરમિયાન વાવેલા જવ ઝડપથી વધે છે, તો ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ ઝડપથી વધે છે.

બે થી દસ વર્ષની કન્યાઓને માતાનું સ્વરૂપ માનવામાં આવે

શાસ્ત્રો અનુસાર કુંવારી કન્યાઓ તેમની માતાની જેમ જ પવિત્ર અને પૂજનીય હોય છે. બે થી દસ વર્ષની કન્યાઓને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે નવરાત્રિ દરમિયાન કુંવારી કન્યાઓના ચરણોની પૂજા કરવામાં આવે છે અને તેમને ભક્તિભાવથી ભોજન અર્પણ કરવામાં આવે છે. ગોરણીઓ કરવામાં આવે છે તેમને ભાવથી ભોજન કરાવવામાં આવે છે. 

  • Follow us on: