• આ દિવસે કોઈને સુહાગનો સામાન ન આપો
  • ચંદ્રની પૂજા બાદ જ ઉપવાસ ખોલો
  • દિવસે સૂવું નહીં અને વ્રતની કથા અચૂક સાંભળવી

કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ રાખવામાં આવતું કરવા ચોથનું વ્રત આ વર્ષે 1 નવેમ્બરે ઉજવાશે. અખંડ સૌભાગ્યને માટે રખાતું આ વ્રત ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત કરે છે. રાતે ચંદ્રોદય બાદ જ પૂજન અને જળ ચઢાવીને કરવા ચોથનું વ્રત ખોલવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથના દિવસે ચંદ્રોદય રાતે 8.15 મિનિટે થશે. આ દિવસે વ્રતના નિયમોનું પાલન જરૂરી રહે છે. નહીં તો આ દિવસનું વ્રતનું ફળ મળતું નથી અને સાથે તમારું અને પરિવારનું મોટું નુકસાન થઈ શકે છે.

આ દિવસે ભૂલથી પણ ન કરો ભૂલ

  • કરવા ચોથના દિવસે નિર્જળા વ્રત રખાય છે. આ દિવસે અન્ન અને જળ ન લો. નહીં તો વ્રત તૂટશે અને વ્રતનું ફળ મળશે નહીં.
  • કરવા ચોથના વ્રતમાં સોળ શણગારનું ખાસ મહત્ત્વ છે. આ માટે મહિલાઓ આ દિવસે શ્રૃંગાર કરીને દુલ્હનની જેમ તૈયાર થાય છે. ધ્યાન રાખો કે આ દિવસે કોઈ પણ મહિલાને સુહાગનો સામાન ન આપો. કરવા ચોથના દિવસે પોતાના દ્વારા ઉપયોગમાં લેવાયેલી સુહાગની સામગ્રી જેમકે સિંદુર, બંગડી, મહાવર, મહેંદીનું દાન કરો.
  • કરવા ચોથના દિવસે ચંદ્રના દર્શનનું ખાસ મહત્ત્વ છે. આ માટે ચંદ્રની પૂજા બાદ જ વ્રત ખોલવું. આ સિવાય તમારું વ્રત અધૂરું રહે છે. કોઈ કારણ સર ચંદ્ર ન દેખાય તો જ્યોતિષના ઉપાયો કરીને પછી વ્રત ખોલો તે જરૂરી છે.
  • આ દિવસે મહિલાઓએ દિવસે સૂવું નહીં. વ્રત કરીને સૂવાથી ફળ મળતું નથી. વ્રત નિષ્ફળ રહે છે અને દોષ પણ લાગે છે. જો કે બીમાર કે ગર્ભવતી મહિલાઓ આરામ કરી શકે છે.
  • આ દિવસે કાળા, ભૂરા રંગના કપડા પહેરવાની ભૂલ ન કરો. આ રંગનો સંબંધ શનિદેવ સાથે છે. આ દિવસે લાલ, ગુલાબી, પીળા, લીલા રંગના કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે.
  • કરવા ચોથનું વ્રત કથા સાંભળ્યા વિના અધૂરું રહે છે. આ દિવસે કથા સાંભળવાનું ખાસ મહત્ત્વ છે. તો તમે પણ પૂજાની સાથે કથા સાંભળવાનું ભૂલશો નહીં.  

  • Follow us on: