- સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે
- સૂર્યગ્રહણને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે
- અમાસના દિવસે સૂર્યગ્રહણ થવાના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થયેલ પિતૃ પક્ષ 14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ સાથે સમાપ્ત થશે. સર્વ પિતૃ અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમને કોઈ પૂર્વજની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા અન્ય કોઈ કારણસર તમે યોગ્ય તિથિએ પૂર્વજોનું શ્રાદ્ધ ન કરી શકો તો આવા તમામ પૂર્વજોનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસના દિવસે કરી શકાય છે.
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ હશે.
આ વર્ષે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે, જે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ હશે. 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ રાત્રે 8:00 થી 2:25 સુધી ચાલશે. આના થોડા કલાકો બાદ એટલે કે 15મી ઓક્ટોબરે નવરાત્રિ શરૂ થશે. સૂર્યગ્રહણને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે લોકોના જીવનને શુભ અને અશુભ બંને રીતે અસર કરે છે. આવી સ્થિતિમાં આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ કયા એવા કાર્યો છે જે આ સમયગાળામાં ભૂલથી પણ ન કરવા જોઈએ.
આવું બિલકુલ ન કરો
સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ થવાના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસે ભૂલથી પણ દારૂનું સેવન ન કરો.
આ દિવસે કોઈને પણ દરવાજેથી ખાલી હાથે પાછા ન મોકલો. જો કોઈ ગરીબ, બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ તમારા દ્વારે કંઈક માંગવા આવે તો તેને તમારી ક્ષમતા મુજબ દાન કરો.
આ દિવસે ભૂલથી પણ કોઈને દુઃખ ન આપો. ન તો કોઈનું અપમાન કરો અને ન કોઈ પર ગુસ્સો કરો.
સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારની પૂજા ન કરવી જોઈએ. આ દરમિયાન માત્ર ભગવાનના મંત્રોનો જાપ કરો.
આ દિવસે ન તો તુલસીને સ્પર્શ કરો અને ન તો તેની પૂજા કરો.
ગ્રહણ દરમિયાન તુલસીના પાનને દૂધ અને દહીં જેવી વસ્તુઓમાં ઉમેરવામાં આવે છે જેથી ગ્રહણની અસરથી તે દૂષિત ન થાય. તુલસીના પાનને પહેલા તોડીને રાખો.
સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાની પણ મનાઈ છે. તેની પાછળની માન્યતા છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક પ્રભાવ પડે છે. આ સમય દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.