• શાસ્ત્રો અનુસાર સર્વ પિતૃ અમાસનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે
  • શ્રાદ્ધ પક્ષ અથવા પિતૃ પક્ષ સર્વપિતૃ અમાસ તિથિ પર સમાપ્ત થાય છે
  • સર્વપિતૃ અમાસ પિતૃ અમાસ, મહાલય અમાસ અને પિતૃ મોક્ષ અમાસ જેવા નામોથી ઓળખાય છે

શ્રાદ્ધ પક્ષમાં સર્વ પિતૃ અમાસનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આ વખતે સર્વ પિતૃ અમાસ પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. આ વખતે અમાસના દિવસ શનિવાર હોવાથી તેને શનિશ્વરી અમાસ પણ કહેવામાં આવશે. આ ઉપરાંત વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ આ દિવસે થવાનું છે. જ્યારે ભાદરવા મહિનામાં સર્વપિતૃ અમાસ આવે છે ત્યારે તેનું મહત્વ વધુ વધી જાય છે. ચાલો જાણીએ સર્વપિતૃ અમાસ ક્યારે છે અને તેનું શું મહત્વ છે.

સર્વપિતૃ અમાસ તિથિ અને સમય

આ વખતે સર્વપિતૃ અમાસ 14 ઓક્ટોબર શનિવારે છે.

અમાસ તિથિ 13 ઓક્ટોબરે સવારે 9.51 વાગ્યાથી શરૂ થશે

અમાસ તિથિ શનિવારે રાત્રે 11.25 વાગ્યા સુધી સમાપ્ત થશે.

સર્વપિતૃ અમાસનું મહત્વ

શાસ્ત્રો અનુસાર સર્વ પિતૃ અમાસનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષ અથવા પિતૃ પક્ષ સર્વપિતૃ અમાસ તિથિ પર સમાપ્ત થાય છે. ભારતમાં કેટલાક સ્થળોએ, સર્વપિતૃ અમાસ પિતૃ અમાસ, મહાલય અમાસ અને પિતૃ મોક્ષ અમાસ જેવા નામોથી ઓળખાય છે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ એ તમામ પૂર્વજોના નામ પર કરવામાં આવે છે જેમના શ્રાદ્ધને તમે ભૂલી ગયા છો. આ અમાસ પૂર્વજોને યાદ કરવા, મોક્ષ માટે દાન કરવા અને તેમની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અમાસ પર તમે તમારા પૂર્વજોને આ રીતે વિદાય આપો

અમાસના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરવા. આ પછી પૂર્વજોનું સ્મરણ કરીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને તેમનું શ્રાદ્ધ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન, દક્ષિણા વગેરે આપીને તેમના આશીર્વાદ લો. બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ ઘરના તમામ લોકોએ સાથે મળીને ભોજન કરવું જોઈએ. ભોજન પીરસ્યા બાદ પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. સર્વપિતૃ અમાસ પર કાગડા, ગાય અને કૂતરાને ભોજન કરાવો. તેમજ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો.


  • Follow us on: