• આ વર્ષે માતાનું આગમન હાથી પર થશે અને સાથે સારો વરસાદ આવશે
  • 9 દિવસમાં અલગ અલગ ભોગ ધરાવવાની માન્યતા
  • માતાને પ્રસન્ન કરતા અલગ અલગ ભોગ ધરાવવાથી મળશે અનેકગણું ફળ

15 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી શારદીય નવરાત્રિમાં ભક્તો ઘરે જ વિધિ વિધાન સાથે માતા જગદંબાની પૂજા કરે છે. આ વર્ષે 9 દિવસ સુધી નવરાત્રિની ઉજવણી થશે. આ સાથે માતા હાથી પર આગમન કરશે અને તેની સાથે જ સારો વરસાદ પણ આવશે.

અલગ અલગ ભોગથી પ્રસન્ન થાય છે માતાજી

કહેવાય છે કે 9 દિવસ ચાલતી આ નવરાત્રિમાં માતાજીને ખાસ ભોગ અને પૂજાનું ખાસ મહત્ત્વ રહે છે. માતાને અર્પિત કરાતા ભોગનું પણ ખાસ મહત્ત્વ છે. 9 દિવસમાં અલગ અલગ ભોગ ધરાવવાની માન્યતા છે. ભોગ લગાવવાથી દેવી દુર્ગાની કૃપા બની રહે છે.

જાણો કયા દિવસે કયા ભોગ ચઢાવવાથી મળશે પૂજાનું ફળ

  • પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરાય છે. આ દિવસે માતાને ઘીના બનેલા પકવાનનો ભોગ ધરાવવો જરૂરી છે.
  • બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરાય છે. આ દિવસે માતાજીને ખાંડ કે પંચામૃતનો ભોગ ધરો.
  • ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરાય છે. આ સમયે માતાજીને દૂધ કે દૂધની વાનગીની સામગ્રી ધરાવો.
  • ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરાય છે. આ સમયે તેમની ઘીથી બનેલા માલપુઆ પસંદ છે.
  • પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરાય છે. આ સમયે તેમને કેળા અને કાજુનો ભોગ ધરાવવાથી યોગ્ય ફળ મળશે.
  • છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરાય છે. તેમને નારિયેળ અને પંચમેવાનો ભોગ ચઢાવવો જરૂરી છે.
  • સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરાય છે. તેમને ગોળથી બનેલા પકવાનનો ભોગ ધરાવો.
  • આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરાય છે. મહાગૌરીને ગાયના દૂધની કે સાબુદાણાની ખીરનો ભોગ લગાવો.
  • નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજા કરાય છે. તેમને ઘીનો શીરો, પૂરી અને ચણાનો ભોગ ધરાવવાથી મનોકામના પૂરી થશે. 

  • Follow us on: