હાલ શ્રાવણ માસ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પુજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન શિવને બીલીપત્ર ખુબજ પસંદ છે. ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાથી જીવનની દરેક મનોકામના પૂરી થાય છે. બીલીપત્ર ચઢાવવાથી લઈ તોડવા સુધીના નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ આ નિયમોનું પાલન નથી કરતા તેને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી.


બીલીપત્ર ચઢાવવાને લઈ શું ધ્યાનમાં રાખવું?

ભગવાન શિવને ચઢાવવામાં આવેલ બીલીપત્રને તોડવાને લઈ અમુક નિયમ બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, બીલીપત્રને તોડવાથી લઈ ચઢાવવા સુધીના આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે બીલીપત્ર તોડતા પહેલા ક્યા નિયમોનું પાલન કરવું જોઈએ.

આ દિવસોમાં બીલીપત્ર ન તોડવું જોઈએ

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બીલીપત્રને ક્યારેય પણ ચૌથ, આઠમ, નોમ, ચૌદસ, અમાસ અને પૂનમની તિથિના દિવસે ક્યારેય ન તોડવું જોઈએ.
  • બીલિપત્રને સંક્રાંતિ અને સોમવારના દિવસે ન તોડવું જોઈએ.
  • નિયમિત રીતે બીલીપત્ર ભગવાન શિવને ચઢાવવામાં આવે તો તેને આ તિથિઓના એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ.
  • બીલીપત્રને ક્યારેય પણ ડાળીઓથી ન તોડવા જોઈએ. જ્યારે પણ બીલીપત્રને તોડવામાં આવે ત્યારે આટલું ધ્યાન રાખો કે વૃક્ષને કોઈ નુકસાન ન થાય. એટલા માટે એક-એક બીલીપત્રને પસંદ કરીને તોડવું જોઈએ.
  • જ્યારે પણ તમે બીલીપત્ર તોડો તે પહેલા વૃક્ષને પ્રણામ અવશ્ય કરો.
  • ઘર્મ શાસ્ત્રો અનુસાર બીલીપત્ર વાસી નથી થતું. જો બીલીપત્ર ઉપલબ્ધ ન હોય તો ભગવાન પર ચઢાવવામાં આવેલ બીલીપત્રને ધોઈને ફરીથી ચઢાવી શકો છો.
  • બીલીપત્રને ક્યારેય પણ બપોર પછી ન તોડવું જોઈએ

  • Follow us on: