• હળદરને શુભતા, પવિત્રતા, સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે
  • શિવજીની પૂજામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે
  • ભગવાન શિવને ક્યારેય નથી ચઢતી હળદર

શ્રાવણનો મહિનો ભગવાન શિવના ભક્તો માટે શુભ માનવામાં આવે છે. સોમવારના દિવસે ભગવાન શિવની પૂજાનું ખાસ મહત્ત્વ છે. પરંતુ જ્યારે ભક્તો મહાદેવની પૂજા અને આરાધના કરે છે ત્યારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શિવજીની પૂજામાં ભક્તો ખાસ કરીને ફૂલ, ફળ, દૂધ અને ધતૂરો તથા બિલિપત્ર વાપરે છે. પરંતુ ઉપવાસ અને અનુષ્ઠાનની સાથે તમારે ધ્યાન રાખી લેવું કે ભગવાન શિવને કઈ વસ્તુઓ ચઢાવી શકાતી નથી.

ભગવાન શિવને નથી ચઢાવી શકાતી હળદર

શ્રાવણની પૂજામાં ભગવાન શિવની પૂજામાં ખાસ નિયમો હોય છે. તેનું પાલન કરવાથી સારા પરિણામો મળે છે. આ સાથે પૂજા પાઠમાં તેનું પાલન કરવાથી શુભ પરિણામો પણ મળે છે. અનેક પૂજામાં હળદરનો ઉપયોગ કરાય છે અને તેને શુભતા, પવિત્રતા, સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હળદરને લગ્નમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિશેષ અનુષ્ઠાન કરવા માટે પણ તેનો ઉપયોગ કરાય છે.

શિવજીનો ભૌતિકવાદ સાથે છે નાતો

હળદરને શુભતા, પવિત્રતા, સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેના વિપરિત ભગવાન શિવે ત્યાગ અને સાંસારિક ઈચ્છાઓને પ્રતિ આકર્ષણની ખામીના કારણે જાણીતા છે. તેઓ શરીર પર ભસ્મ લગાવે છે. આ ભૌતિકવાદની સાથે તેમનું પ્રતીક છે. આ રીતે ધાર્મિક માન્યતાઓની સાથે હળદર ભગવાન શિવની જીવનશૈલીના વિપરિત છે. આ કારણે તેમને હળદર ચઢાવી શકાતી નથી.

કયા ગ્રહ સાથે છે હળદરનો સંબંધ

હળદરનો સંબંધ બૃહસ્પતિ સાથે છે. તેની ઉર્જા લાભદાયી છે પરંતુ ભગવાન શિવની ઉર્જા સાથે મેળ ખાતી નથી. આ માટે કહેવાય છે કે તેમને હળદર ચઢાવવી નહીં. માનવામાં આવે છે કે ભગવાન શિવને હળદર ચઢાવવાથી અનેક નકારાત્મક પ્રભાવ પડે છે. ગ્રહોની ઉર્જાના વિરોધાભાસથી ખ્યાલ આવે છે કે ભગવાન શિવને હળદર ચઢાવવાથી ઉર્જામાં અસંતુલન થાય છે અને તેના પ્રતિકૂળ પ્રભાવ હોઈ શકે છે. ભગવાન શિવની વિધિવત પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ભક્તોએ પૂજાના નિયમો સમજી લેવા જરૂરી છે.  

  • Follow us on: