UPI વાપરનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઇલ નંબર લાંબા સમયથી અનએક્ટિવ હોય તો તેને જલ્દીથી એક્ટીવ કરાવો. જો તમે આ નહીં કરો, તો તમે 1 એપ્રિલથી UPIનો ઉપયોગ કરી શકશો નહીં.
હકીકતમાં, છેતરપિંડી અટકાવવા માટે, 1 એપ્રિલથી UPI ચુકવણી સેવા સંબંધિત એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ (PSPs) એ 31 માર્ચ પહેલા તેમના ડેટાબેઝને અપડેટ કરવા પડશે જેથી નિષ્ક્રિય અથવા બદલાયેલા મોબાઇલ નંબરોને દૂર કરી શકાય. આ અંતર્ગત, બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી અનએક્ટીવ મોબાઇલ નંબરો રીમુવ કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા માટે ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPI નો ઉપયોગ બંધ થઈ જશે.













