•  ટેટૂને અનેક રોગનું કારણ માનવામાં આવે છે
  • ભારતમાં સરકારી નોકરીમાં ટેટૂ બનાવેલા લોકોને માન્યતા મળતી નથી
  • અનેક ઉચ્ચ નોકરીમાં ટેટૂને લઈને અનેક કડક નિયમો છે

સરકારી નોકરી માટે અલગ અલગ પાત્રતા નક્કી કરાય છે. તેમાંથી કેટલીક અભ્યાસ સાથે પણ જોડાયેલી છે તો કેટલીક વર્તન સાથે. આજે અમે આપને એવા નિયમ વિશે જણાવીશું જેની પર તમે કદાય ધ્યાન નહીં આપ્યું હોય. દરેક નોકરીના પોતાના નિયમ હોય છે. દર વર્ષે લાખો યુવા સરકારી નોકરીની તૈયારી કરે છે. સરકારી નોકરીને ફક્ત મેળવવાનું મુશ્કેલ નથી પણ તેમાં ટકી રહેવા માટે અનેક ત્યાગ પણ કરવા પડે છે. ભારતમાં અનેક સરકારી નોકરીમાં શરીર પર ટેટૂ બનાવેલા લોકોને માન્યતા મળતી નથી.

કોલેજ સ્ટુડન્ટ્સમાં પણ ટેટૂને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. તે પોતાના બોડી પર અનેક પ્રકારના ટેટૂ બનાવડાવી લે છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમે તે શોખને વધારે સમય સુધી પાળો તે તમને ભારે પડી શકે છે. ભારતની અનેક ઉચ્ચ નોકરીમાં ટેટૂને લઈને અનેક કડક નિયમો છે. તો જાણો કઈ સરકારી નોકરીના ઉમેદવાર શરીરના કોઈ પણ ભાગ પર ટેટૂ બનાવી શકતા નથી.

સરકારી નોકરીથી ખોવી બેસશો હાથ

જો તમારા શરીરના કોઈ પણ ભાગ પર ટેટૂ બનાવડાવો છો તો તમે આ પ્રમુખ સરકારી નોકરીને માટે અરજી કરી શકશો નહીં.

1- IAS (Indian Administrative Service)

2- IPS (Indian Police Service)

3- IRS (Internal Revenue Service)

4- IFS (Indian Foreign Service)

5- Indian Army

6- Indian Navy

7- Indian Air Force

8- Indian Coast Guard

9- Police

શા માટે ટેટૂ બનાવવાનું છે પ્રતિબંધિત

આ નોકરીઓ માટે એપ્લાય કરનારા ઉમેદવારોના શરીર પર કેવું પણ ટેટૂ હશે તો તેમને રિજેક્ટ કરવામાં આવે છે. તેને માટેના અનેક કારણો આપવામાં આવ્યા છે.

1. ટેટૂને અનેક રોગનું કારણ માનવામાં આવે છે. તેનાથી HIV,ચર્મરોગ અને હેપેટાઈટિસ એ અને બી જેવા રોગનો ખતરો વધારે રહે છે.

2. અનેક લોકોના મનમાં ધારણા હોય છે કે શરીર પર ટેટૂ બનાવનારા વ્યક્તિ કહ્યામાં હોતા નથી. તેમને લાગે છે કે તેમના શોખ કામથી વધારે જરૂરી હોય છે.

3. સુરક્ષાદળમાં ટેટૂ વાળા વ્યક્તિઓને નોકરી મળતી નથી કેમકે તેનાથી તેમની સુરક્ષાને ખતરો વધે છે. વ્યક્તિના પકડાઈ જવા પર ટેટૂથી તેની ઓળખ કરી શકાય છે.  

  • Follow us on: