- જો તમને વિદેશમાંથી 6 લાખ રૂપિયાથી વધુની રકમ મળે છે
- તો આ નિયમો તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે
- ઈનકમ ટેક્સની આ કારણે તપાસ કરવામાં આવી રહી છે
આજે ભારત વિશ્વનો પહેલો એવો દેશ છે, જ્યાં વિદેશમાંથી સૌથી વધુ નાણા આવે છે. આનો અર્થ એ થયો કે વિદેશમાં રહીને નોકરી કે બિઝનેસમાંથી કમાણી કર્યા પછી પૈસા પાછા પોતાના દેશમાં મોકલનારા લોકોની લિસ્ટમાં ભારતીયો ટોચ પર છે. આવી પરિસ્થિતિમાં, જો તમારા બાળકો, માતાપિતા અથવા કોઈ સંબંધી અથવા મિત્ર તમને વિદેશથી પૈસા મોકલે છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
જે લોકો વિદેશમાંથી પૈસા મેળવે છે, તેઓ આવકવેરાની તપાસ હેઠળ આવી શકે છે. સીબીડીટીએ આવા મામલાની તપાસ શરૂ કરી છે, જ્યાં વિદેશથી લોકોને 6 લાખ રૂપિયાથી વધુ રકમ મોકલવામાં આવી છે. જો તમને પણ 6 લાખ રૂપિયાથી વધુની રકમ મળી છે, તો જાણો.
આ કારણે કરવામાં આવી રહી છે તપાસ
સીબીડીટીએ આવા કેસોની તપાસ શરૂ કરી છે કારણ કે તે જાણવા માંગે છે કે શું તે રકમ મોકલવામાં કોઈ હેરાફેરી થઈ હતી, ઉદાહરણ તરીકે, કરચોરી અથવા અન્ય કોઈ કારણ. મીડિયા રિપોર્ટ મુજબ આ પગલું એવા મામલાઓ શોધી કાઢ્યા બાદ લેવામાં આવ્યું છે જ્યાં આ વિદેશી નાણા જે લોકોને મોકલવામાં આવ્યા હતા, તે તેમના દ્વારા જાહેર કરાયેલ આવક અનુસાર ન હતા અને ટીસીએસમાં પણ ગેરરીતિઓ થઈ હતી.
આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ બોર્ડે ફીલ્ડ ફોર્મેશનને ફોર્મ 15સીસીની વેરિફિકેશન પ્રોસેસ અને તપાસ શરૂ કરવા કહ્યું હતું. જે લોકો વિદેશથી પૈસા મેળવે છે તેમના માટે ફોર્મ 15સીસી જરૂરી છે. વર્ષ 2016 પછીના આ ફોર્મ સાથે સંબંધિત ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવશે.
રડાર પર છે આ લોકો
એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે એક સમીક્ષાની ભલામણ કરવામાં આવી હતી. તે ટૂંક સમયમાં ફિલ્ડ ફોર્મેશન માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે આ પગલું સરકારને એવા કેસોને ઓળખવામાં મદદ કરશે જ્યાં વિદેશી રેમિટન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ કરદાતાએ તેની ફાઈલિંગમાં તે જાહેર કર્યું નથી. અધિકારીએ કહ્યું કે આ પગલું કરચોરીને અટકાવશે અને વિદેશથી મોકલવામાં આવેલા નાણાંનો યોગ્ય હિસાબ થાય તેની ખાતરી કરશે.
બોર્ડ 2020-21 પછીના ડેટાની તપાસના આધારે હાઈ રિસ્કવાળા કેસોનું લિસ્ટ તૈયાર કરશે. તેણે ફિલ્ડ ફોર્મેશન્સને હાઈ રિસ્કવાળા કેસ શોધવા માટે એક SOP તૈયાર કરવા અને 30 સપ્ટેમ્બર સુધીમાં આવા કેસોનું લિસ્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે અઘોષિત આવક ધરાવતા લોકોને પ્રથમ નોટિસ મોકલવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કી કરી છે.
7 લાખથી વધુ પર 20 ટકા ટીડીએસ
પ્રથમ પ્રશ્ન જેના વિશે લોકો મૂંઝવણમાં રહે છે તે એ છે કે શું તેઓ સામાન્ય ખાતામાં પૈસા માંગી શકે છે કે નહીં. તો તમને જણાવી દઈએ કે તે સંપૂર્ણપણે કાયદેસર છે કે તમે વિદેશથી તમારા ખાતામાં પૈસા મેળવી શકો છો જે તમારા સંબંધીઓ અથવા મિત્રો દ્વારા મોકલવામાં આવે છે. આવું એટલા માટે પણ થાય છે કારણ કે ઘણા લોકોના વૃદ્ધ માતા-પિતા ભારતમાં રહેતા હોય છે અને વિદેશમાં રહેતા તેમના બાળકો તેમના ભારતીય ખાતામાં પૈસા મોકલે છે.
વિદેશથી 7 લાખ રુપિયાથી વધુ મોકલવા પર સરકાર એલઆરડી હેઠળ 20 ટકા ટીડીએસ વસૂલે છે. પરંતુ જો આ રકમ મેડિકલ અથવા એજ્યુકેશન હેતુ માટે મોકલવામાં આવી રહી છે તો તેમાં છૂટ છે. જો ફોર્મ 15સીસી દ્વારા વિદેશમાંથી નાણાં મેળવનાર વ્યક્તિ પ્રમાણિત કરે છે કે તે રકમ કરપાત્ર નથી, તો પછી વધુ વિગતોની જરૂર નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગે આ છૂટના સંભવિત દુરુપયોગના કેટલાક કેસ શોધી કાઢ્યા છે.