આરકોમ અને અનિલ અંબાણીના ઘરે શનિવારે વહેલી સવારથી જ CBIના ધામા છે. CBI ₹17,000 કરોડ બેંક ફ્રોડ મામલે આ દરોડા પાડી રહી છે. બેંક સાથેના કૌભાંડ મામલે આરકોમ અને અનિલ અંબાણીના નિવાસે વહેલી સવારથી જ દરોડા પડી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ સાગમટે દરોડા પડી રહ્યા છે. હાલ અનિલ અંબાણી તેના પરિવાર સાથે નિવાસે હાજર છે. અનિલ અંબાણી વિરૂદ્ધ ₹17,000 કરોડ બેંક ફ્રોડ મામલે હવે FIR દાખલ કરવામાં આવી છે. 


આ મામલે હવે FIR દાખલ કરવામાં આવી છે

CBIના અધિકારીઓએ સમાચાર એજન્સીને જણાવ્યુ કે આ મામલે હવે FIR દાખલ કરવામાં આવી છે. આ દરોડા એ તપાસ પછી કરવામાં આવી રહ્યા છે જ્યારે EDએ 5 ઓગસ્ટે અનિલ અંબાણીની 10 કલાક સુધી પુછપરછ ચાલી હતી. આ મામલો બેન્ક ફ્રોડ સાથે જોડાયેલ છે. ઐ તમામ કૌભાંડમાં ₹17,000 કરોડથી વધારાની રકમનો સમાવેશ થાય છે.




  • Follow us on: