કેન્દ્ર સરકાર દ્વારા નવા લેબર કોડની જાહેરાત બાદ, ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓને કામ પર મળતી સુવિધાઓ અંગે મોટી આશાઓ જાગી છે. નવા લેબર કોડ હેઠળ, એક વર્ષની સેવા પછી ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની જોગવાઈ કરવામાં આવી છે. પહેલાં, ગ્રેચ્યુઇટી માટે પાંચ વર્ષ સતત સેવા આપવી જરૂરી હતી. જોકે, આ નવો ફેરફાર હજુ સુધી જમીન પર લાગુ કરવામાં આવ્યો નથી. કંપનીઓ જૂના નિયમો હેઠળ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓને ઝડપથી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે આ નિર્ણય લીધો છે. ચાલો જાણીએ કે કર્મચારીઓને તેના લાભ કેમ નથી મળી રહ્યા...


નિયમ લાગુ થવામાં વિલંબનું કારણ

નવો લેબર કોડ દેશમાં કોન્કરેન્ટ લીસ્ટ હેઠળ આવે છે. આનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર કાયદો બનાવે છે, પરંતુ આ નિયમોને લાગુ કરવા માટે રાજ્ય સરકારોએ પોતાના નિયમો નોટિફાઈ કરવા જરૂરી હોય છે. જ્યાં સુધી રાજ્ય સરકારો પોતાના શ્રમ કાયદાઓ જારી ન કરે ત્યાં સુધી કંપનીઓ કાયદેસર રીતે તેનો અમલ કરવા માટે બંધાયેલી નથી. આ એક મુખ્ય કારણ છે કે કંપનીઓ નવા લેબર કોડનો અમલ કરી રહી નથી.

કંપનીઓ જૂના નિયમો પ્રમાણે કરી રહી છે કામ

રાજ્ય સરકાર દ્વારા નિયમો જારી ન કરવાને કારણે મોટાભાગની કંપનીઓ જૂના નિયમો મુજબ કામ કરી રહી છે. ભવિષ્યમાં સંભવિત કાનૂની મુશ્કેલીઓ અથવા વિવાદો ટાળવા તેમજ કર્મચારીઓને નવા લેબર કોડના લાભો આપવાનું ટાળવા માટે કંપનીઓ હજુ જૂના નિયમોનું પાલન કરી રહી છે.

સરકાર હજુ પણ ગ્રેચ્યુટી માટે પાંચ વર્ષના નિયમનું પાલન કરે છે. કંપનીઓ એમ પણ કહે છે કે સ્પષ્ટ માર્ગદર્શિકા વિના નવા નિયમો લાગુ કરવાથી ઓડિટ અને તપાસમાં હેરાનગતી થઈ શકે છે.

રાજ્ય સરકારના વિલંબનું કારણ

રાજ્ય સરકારો કોઈપણ નિર્ણય લેતા પહેલા ટ્રેડ યુનિયનો અને MSME ક્ષેત્રની ચિંતાઓને ધ્યાનમાં રાખીને સાવધાનીપૂર્વકનો અભિગમ અપનાવી રહી છે. નવા લેબર કોડ લાગુ કરવામાં વિલંબ પાછળ રાજકીય અને સામાજિક પરિબળો પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જ્યારે કેટલાક રાજ્યોએ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે, ત્યારે મોટાભાગના રાજ્યોમાં હજુ પણ માત્ર ચર્ચાઓ ચાલુ છે.


  • Follow us on: