રશિયા યૂક્રેન યુદ્ધના કારણે વિશ્વમાં ઇંધણ આપૂર્તિની તસ્વીર બદલાઇ ગઇ છે. આ બધાની વચ્ચે ભારતમાંથી આવનાર ડીઝલ મામલે યૂક્રેનને કડક તપાસના આદેશ આપ્યા છે. યૂક્રેન હવે ભારત પાસેથી તેલનો વેપાર નથી કરવા ઇચ્છતો.

કન્સાઈનમેન્ટનું કરાશે લેબ ટેસ્ટિંગ

યૂક્રેન 1 ઓક્ટોબરથી ભારતથી આવનાર દરેક ડીઝલ વિભાગની તપાસ કરશે. તેનો હેતુ એ છે કે, રશિયા કાચા તેલમાં ભેળસેળ તો નથી કરતું ને. યૂક્રેનની એક પ્રમુખ એનર્જી કન્સલ્ટન્સી 'એન્કોર' અનુસાર, યૂક્રેન રશિયન તેલ સાથેના જોડાણને કારણે ભારતીય ડીઝલ આયાતને મર્યાદિત કરવા માંગે છે. દેશની સુરક્ષા એજન્સીઓના નિર્દેશો પર આ પગલું લેવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, ભારતથી આવતા દરેક ડીઝલ કન્સાઈનમેન્ટનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે.

ભારત ખરીદે છે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ

ભારત છેલ્લા કેટલાક સમયથી રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે રશિયાનું યુરલ ગ્રેડ ક્રૂડ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડ કરતાં $5 થી $6 પ્રતિ બેરલ સસ્તું ઉપલબ્ધ છે. ભારતીય રિફાઈનરીઓ આ સસ્તા સોદાનો લાભ લઈ રહી છે અને રશિયામાંથી ક્રૂડ ઓઈલ આયાત કરી રહી છે અને તેને દેશમાં અને વિદેશમાં પ્રોસેસ કરીને મોકલી રહી છે.

યૂક્રેન કેમ થયુ સખ્ત ?

યૂક્રેનમાં યુદ્ધને કારણે સ્થાનિક રિફાઈનરીઓને ભારે નુકસાન થયું છે. આ ઉનાળામાં, યૂક્રેનમાં એક મોટી રિફાઈનરી બંધ થઈ ગઈ, જેના કારણે દેશને વિદેશથી ડીઝલ આયાત કરવાની ફરજ પડી. બીજી એક કન્સલ્ટન્સી A-95 મુજબ, પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે યૂક્રેનિયન સંરક્ષણ મંત્રાલયે પણ ભારત પાસેથી ડીઝલ ખરીદ્યું. કારણ એ હતું કે ભારતીય ડીઝલ પણ જૂના સોવિયેત ધોરણોને પૂર્ણ કરે છે. આ વર્ષે ઓગસ્ટમાં, યૂક્રેને ભારત પાસેથી 1.19 લાખ ટન ડીઝલ ખરીદ્યું, જે તેની કુલ આયાતના લગભગ 18% હતું. પરંતુ હવે યૂક્રેન એવા ડીઝલનો ઉપયોગ કરવા માંગતું નથી જેમાં રશિયાએ ભૂલથી પણ ફાળો આપ્યો છે.

  • Follow us on: