• RBI: બે હજારની 97.28 ટકા નોટ પરત આવી, હજી 7,755 કરોડના મૂલ્યની નોટ લોકો પાસે
  • આરબીઆઈએ સોમવારે સત્તાવાર બે હજાર નોટ અંગે ખુલાસો કર્યો
  • હજી બે હજારની ચલણી નોટો લોકો પાસે રહી હોવાનો આરબીઆઈનો દાવો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે કહ્યું કે, 2,000 રૂપિયાની 97.82 ટકા નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. ચલણમાંથી હટાવવામાં આવેલી 7,755 કરોડ રૂપિયાની માત્ર નોટો જ લોકો પાસે છે. RBIએ 19 મે-2023ના રોજ ચલણમાંથી બે હજારની કિંમતની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ચલણમાં બે હજાર મૂલ્યની બેન્ક નોટોનું કુલ મૂલ્ય 19 મે, 2023ના રોજ કારોબારના અંતે રૂ. 3.56 લાખ કરોડ હતું. 31 મે, 2024ના રોજ બિઝનેસ બંધ થતાં તે ઘટીને રૂ. 7,755 કરોડ થયો હતો. "આ રીતે, 19 મે-2023 સુધીમાં ચલણમાં રહેલી બે હજારની બેંક નોટોમાંથી 97.82 ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે," કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું.

સાત ઓક્ટોબર- 2023 સુધી તમામ બેંકોમાં નોટો બદલાઈ

7 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેંક શાખાઓમાં રૂ. 2000ની બેંક નોટ જમા કરાવવા અને/અથવા બદલાવવાની સુવિધા ઉપલબ્ધ હતી. 19 મે, 2023 થી, રિઝર્વ બેંકની 19 ઇશ્યૂ ઓફિસમાં રૂ. 2000ની બેંક નોટો બદલવાની સુવિધા ઉપલબ્ધ છે. આરબીઆઈની ઈસ્યુ ઓફિસો પણ 9 ઓક્ટોબર, 2023થી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2000ની નોટો સ્વીકારી રહી છે. આ ઉપરાંત, લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ભારતીય પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની બેંક નોટ આરબીઆઈની કોઈપણ ઈશ્યૂ ઓફિસમાં મોકલી રહ્યા છે.

આરબીઆઈની આ ઓફિસોમાં 2000 રૂપિયાની નોટો બદલવામાં આવી રહી છે

બેંક નોટો જમા/એક્સચેન્જ કરવા માટેની 19 RBI કચેરીઓ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા અને તિરુવનંતપુરમમાં છે. છે. નોંધનીય છે કે નવેમ્બર-2016માં હાલની રૂ. 1000 અને રૂ. 500ની બેન્ક નોટો હટાવ્યા બાદ રૂ. 2000ની બેન્ક નોટો રજૂ કરવામાં આવી હતી.

  • Follow us on: