- વોડાફોન-આઈડિયા કંપની નહીં ખરીદે સરકાર
- હાલમાં સરકાર પોતે 33.1 ટકાના હિસ્સા સાથે શેરહોલ્ડર છે
- ખોટ કરી રહેલી કંપનીઓને ખરીદવાની સરકારની યોજના નથી
સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે રોકડની તંગીનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપનીને હસ્તગત કરવાની સરકારની કોઈ યોજના નથી. ખોટ કરી રહેલા ટેલિકોમ ઓપરેટરને હસ્તગત કરવાની સરકારની કોઈ યોજના છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ચૌહાણે જણાવ્યું હતું કે વિભાગમાં આવી કોઈ દરખાસ્ત હાલ સરકારની વિચારણા હેઠળ નથી.
કેશ સંકટનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયાને લઈને સરકારે મોટું નિવેદન આપ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે વોડાફોન આઈડિયાને હસ્તગત કરવા જઈ રહી નથી. તેમજ ભવિષ્યમાં તેના માટે કોઈ આયોજન પણ નથી. સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે રોકડની તંગીનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપનીને હસ્તગત કરવાની સરકારની કોઈ યોજના નથી. ખોટ કરી રહેલા ટેલિકોમ ઓપરેટરને હસ્તગત કરવાની સરકારની કોઈ યોજના છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ચૌહાણે જણાવ્યું હતું કે વિભાગમાં આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.













