• ટોલ ફ્રી નંબર પર કરો ફોન
  • ખોટા ટ્રાન્ઝેક્શનનું પ્રૂફ આપવાનું રહેશે
  • NPCIની વેબસાઈટ પર પણ ફરિયાદ કરી શકાશે

આજકાલ ટેક્નોલોજીના સમયમાં દરેક ચીજ સરળ બની છે. પછી તે કોઈને રૂપિયા મોકલવાના હોય કે કોઈની પાસેથી રૂપિયા લેવાના હોય. ફટાફટ આ કામ થઈ જાય છે. પરંતુ આ કામના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. યૂપીઆઈ પેમેન્ટની મદદથી તમામ પ્રકારના પેમેન્ટ થઈ જાય છે. એટલે કે ચાની કીટલીથી લઈને ટીવીની દુકાન સુધી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો. કેમકે યૂપીઆઈથી પેમેન્ટ જલ્દી થાય છે. એવામાં ક્યારેક ખોટા નંબર પર પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય તેવું પણ બને છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો તમે તેના માટે ફરિયાદ કરી શકો છો. આ કામ કરતાની સાથે તમારા રૂપિયા તમને પાછા મળી જશે.

શું કરશો

જો તમે કોઈ ખોટા નંબર પર તમારા રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે તો તેને પરત લેવાનું કામ મુશ્કેલ બને છે. લોકો સરળતાથી ટ્રાન્ઝેક્શન પરત કરતા નથી. આવું થાય તો સૌથી પહેલા તમે યૂપીઆઈ એપ પર જાઓ અને અહીં કમ્પલેન લખો. અહીં તમારે તમારા ટ્રાન્ઝેક્શનનું પ્રૂફ આપવાનું રહેશે. તપાસ બાદ તમને તમારા રૂપિયા પરત મળી જશે.

ટોલ ફ્રી નંબર પર કરો ફોન

જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન ખોટું કર્યું છે અને તમારા રૂપિયા ફસાઈ ગયા છે તો તમે બેંકની બ્રાન્ચ પર જઈને કે કસ્ટમર કેયર પર પણ ફોન કરી શકો છો. આ માટે તમારે ટોલ ફ્રી નંબર 18001201740 પર ફોન કરવાનો રહેશે. અહીં તમે ટ્રાન્ઝેક્શન પ્રૂફ આપો. તમે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઈન્ડિયા એટલે કે NPCIની વેબસાઈટ પર જઈને ફરિયાદ કરી શકો છો. અહીંથી તમે રિફંડ મેળવી શકો છો.  

  • Follow us on: