• સાબરમતી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનના પ્રવાસીઓને નાસ્તા પાણીની વ્યવસ્થા કરાઈ
  • આ ટ્રેન મધ્ય રેલવેમાં અકસ્માતનો ભોગ બનેલી સાબરમતી એક્સપ્રેસના પ્રવાસીઓને તેઓના ગંતવ્ય સુધી લઈ જવા દોડાવાઈ હતી
  • નડિયાદ રેલવે સ્ટેશન પર લોકોને નાસ્તો કરાવવામાં આવતા પ્રવાસીઓએ આભાર માન્યો


શુક્રવારે 16 ઓગસ્ટે રાત્રે વારાણસી એટલે કે, કાશીથી અમદાવાદ આવી રહેલી ટ્રેન નં-19168 સાબરમતી એક્સપ્રેસનાં કુલ 22 કોચ કાનપુર પાસે ખડી પડયા હતા. જે બાદ પ્રવાસીઓને રેલવે દ્વારા બીજી સ્પેશિયલ ટ્રેનની તાબડતોબ વ્યવસ્થા કરી દૂરના અંતરના પ્રવાસીઓને તેઓના ગંતવ્ય લઈ જવામાં આવ્યા હતા. આ ટ્રેન જેવી નડિયા આવી કે જનરલ કોચના પ્રવાસીઓને પૌંઆ અને ચા પિરસવામાં આવી હતી.

સાબરમતી એક્સપ્રેસને અકસ્માત બાદ પ્રવાસીઓ માટે વ્યવસ્થા

આ સ્પેશિયલ ટ્રેન પ્રવાસીઓને લઈ શનિવારે બપોરે પોણા ત્રણ વાગ્યે ઝાંસી પહોંચી હતી. આ ટ્રેનમાં પ્રવાસ કરતા એક પ્રવાસીએ જણાવ્યું કે, કાનપુરથી સાબરમતી એક્સપ્રેસમાં બેઠો હતો અને ટ્રેન એની સ્પીડમાં આગળ ધપી રહી હતી. બાદમાં રાત્રીએ અચાનક ટ્રેનને અકસ્માત નડયો હતો. જો કે, રેલવે દ્વારા નજીકના સ્ટેશનના પ્રવાસીઓને બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને દૂરના અંતરના પેસેન્જર્સને સ્પેશિયલ ટ્રેન મોકલવામાં આવી હતી. આ ટ્રેનથી બાકી રહેલા પ્રવાસીઓને તેઓના ગંતવ્ય સ્ટેશન રવાના કરાયા હતા. 


વારાણસીથી ઉપડેલી ટ્રેનને વચ્ચે અકસ્માત નડતા સ્પેશિયલ ટ્રેનમાં રહેલા પ્રવાસીઓ નડિયાદ રેલવે સ્ટેશન આવતા પશ્ચિમ રેલવે દ્વારા તમામ જનરલ કોચના પ્રવાસીઓ માટે નાસ્તાની વ્ચયસ્થા કરાઈ હતી. ચા અને પૌંઆ તમામ પ્રવાસીઓને પિરસવામાં આવ્યા હતા. 

 



  • Follow us on: