ભારતીય ક્રિકેટ ટીમ જૂનના અંતમાં યુકેના પ્રવાસે જવાની છે, જ્યાં તેઓ પહેલા આયર્લેન્ડમાં 2 મેચની T20 સિરીઝ રમશે, ત્યારબાદ ઈંગ્લેન્ડમાં 5 મેચની T20 સિરીઝ અને ત્રણ ODI રમશે. T20 સિરીઝ સિવાય ભારતીય ટીમના સિલેક્ટર્સે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સ માટે પણ ટીમની જાહેરાત કરી છે. સૌથી મોટો ફેરફાર સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐયરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો હતો.


ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડકપ 2026 જીત્યો હોવા છતાં તેના ફોર્મ પર સતત સવાલો ઉભા થયા હતા, જેના કારણે શ્રેયસ ઐયરને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયરનું પહેલું નિવેદન બહાર આવ્યું છે, જેમાં તેને કેપ્ટનશીપ મળવી એ સન્માન ગણાવ્યું છે.

મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત

IPL 2026 સીઝન પૂર્ણ થયા બાદ શ્રેયસ ઐયર હાલમાં ચાલી રહેલી મુંબઈ T20 લીગમાં રમી રહ્યો છે. જ્યારે તેને 6 જૂને ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારે શ્રેયસ ઐયર તે જ T20 લીગમાં સાંજે મુંબઈ ફાલ્કન્સ માટે રમવાનો હતો.


આ મેચમાં શ્રેયસ ઐય્યરે પોતાની બેટિંગ કુશળતા દર્શાવી અને 61 રન બનાવ્યા, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. મેચ પછી ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત થવા વિશે પૂછવામાં આવતા શ્રેયસ ઐયરે કહ્યું કે "દેશની કેપ્ટનશીપ કરવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું ફેન્સ પ્રત્યે મારો પ્રેમ અને આદર વ્યક્ત કરું છું જેમને મને આટલા વર્ષોથી સપોર્ટ આપ્યો છે."

શ્રેયસ માટે પડકારો ઓછા નથી

સૂર્યકુમાર યાદવના સ્થાને આવનારા નવા કેપ્ટન શ્રેયસ ઐયર સામે પડકારો છે. તે લગભગ 3 વર્ષ પછી T20 ઈન્ટરનેશનલ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે. તેને અન્ય હાલના ખેલાડીઓ સાથે પણ પોતાનું સંકલન સુધારવાની જરૂર પડશે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર કેપ્ટનશીપ સંભાળ્યા પછી શ્રેયસ ઐયરના બેટિંગ પ્રદર્શનની તીવ્ર તપાસ કરવામાં આવશે, જેના કારણે સૂર્યાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: