જમીન કૌભાંડના ગંભીર આરોપો હેઠળ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં નિવાસી કલેક્ટર (RAC) આર.કે. ઓઝાનું નામ પણ લાંચ લેવાના ગંભીર આક્ષેપોમાં સામે આવ્યું છે. નાયબ મામલતદારની કબૂલાત મુજબ, જમીન કૌભાંડમાં લાંચની રકમની ટકાવારી અગાઉથી નક્કી કરવામાં આવી હતી. આ ભ્રષ્ટાચારના નેટવર્કમાં લાંચની કુલ રકમના 50 ટકા હિસ્સો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને જતો હતો, જ્યારે 25 ટકા રકમ આર.કે. ઓઝાને આપવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. આ ખુલાસાથી સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજેન્દ્ર પટેલની ધરપકડથી ફફડાટ













