પતિને પત્નીના અનેક પુરુષ સાથે આડા સંબંધની હતી આશંકા અને પત્નીના ફોનની કોલ ડિટેઈલ કઢાવતા પત્નીનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે પતિને માઠું લાગ્યું અને પતિએ આપઙાત કરી લીધો હતો, માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પત્નીને સમજાવવાનો પ્રયાસ કરતા તે પિયર જતી રહી હતી
તો પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા પણ થતા હતા અને પતિએ પત્નીને સમજાવ્યું હતુ કે તું બહારના કોઈ વ્યકિત સાથે આડા સબંધો ના રાખ પણ પત્ની આ વાત માની નહી અને માનસિક તણાવમાં આવી પતિ દશરથ દેસાઈએ ઘરમાં ગળેફાંસો ખાધો હોવાની વાત સામે આવી છે, મૃતકના ભાઈએ ભાભી ભગવતી દેસાઈ સામે નોંધાવી ફરિયાદ.













