ભુજમાં મીઠાઈના વેપારીને સજા ઉપરાંત કોર્ટે એક લાખનો દંડ ફટકાર્યો છે અને સાડા ચાર વર્ષ જૂના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો અને સંચાલક દયારામ અને મહેશ દાવડાને છ માસની સજા ફટકારવામાં આવી છે, ભુજમાં વેપારી ખાવડા સ્વીટ અને ફરસાણની દુકાન ચલાવી રહ્યાં હોવાની વાત સામે આવી છે.


ભુજ કોર્ટનો ભેળસેળ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો

લોકોને છેતરીને ભેળસેળ કરી વધુ નફો વેપારીઓ કરતા હોય છે અને નગરપાલિકા અને કોર્પોરેશન ઘણી વાર ઓંચિતું ચેકીંગ કરીને ફૂડના નમૂના પણ લેતા હોય છે અને નમૂના પ્રમાણે જે રીપોર્ટ આવે તેના આધારે દંડ અને સજા વેપારીઓને પડતી હોય છે, ત્યારે આવા લાલચું વેપારીઓ કે જે રૂપિયા કમાવવા માટે અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે તેવોજ એક વેપારી ભુજનો પણ નીકળ્યો છે અને સાડા ચાર વર્ષ પહેલા નોંધેલા કેસમાં કોર્ટે ચુકાદો આપીને બન્નેને જેલ હવાલે કર્યા છે.

ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યકિતઓ સાથે અભિપ્રાય-સૂચનો મંગાવાયા હતા

ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ


  • Follow us on: