નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામે આવેલી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં શિક્ષણ જગતને શરમાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના રેક્ટર દ્વારા ધોરણ 11 સાયન્સની સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે આરોપી રેક્ટરની ધરપકડ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
રેક્ટર દિશાંત ઠાકોરની અશ્લીલ હરકતો
ઘટનાની મળતી વિગતો મુજબ, શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં જ રહીને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી આદિવાસી સગીર વિદ્યાર્થિની સાથે રેક્ટર દિશાંત ઠાકોર અશ્લીલ હરકતો કરતો હોવાની ફરિયાદ ઉઠી હતી. પવિત્ર ગણાતા શિક્ષણના મંદિરમાં જ જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિએ વિદ્યાર્થિનીની છેડતી કરતા વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.













