સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં આજે વહેલી સવારથી જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કડક બનાવવા માટે પોલીસ અને PGVCL દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. થાનગઢના જામવાડી વિસ્તારમાં નામચીન ભૂ-માફિયાઓના રહેઠાણો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વીજ તંત્રના કાફલાએ ત્રાટકીને સઘન ચેકિંગ શરૂ કર્યું છે.
ભૂ-માફિયાઓના ઘરે તપાસનો ધમધમાટ
આ કાર્યવાહીમાં ખાસ કરીને જામવાડી વિસ્તારના નામચીન ભૂ-માફિયા વિઠ્ઠલ જાગા અલગોતરના ઘર સહિત અન્ય શંકાસ્પદ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોતે આ ઓપરેશનનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેમની સાથે ડીવાયએસપી, એલસીબી (LCB), એસઓજી (SOG) અને PGVCLના 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો જોડાયો છે.













