મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ડેડાણા ગામમાં સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મના ચકચારી મામલામાં કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગુનામાં મુખ્ય આરોપીને ગુનો આચરવામાં મદદ કરનાર અને હાલ જેલમાં બંધ સહ-આરોપીની નિયમિત જામીન અરજી કોર્ટે આકરી દલીલો સાંભળ્યા બાદ ફગાવી દીધી છે.
મુખ્ય આરોપીને રૂમની વ્યવસ્થા કરી આપી હતી
ડેડાણા ગામની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આ ગંભીર ગુનામાં સહ-આરોપી ચૌહાણ કિરણસિંહ ઉર્ફે મેહરસિંહની સંડોવણી સામે આવી હતી. કિરણસિંહે સગીરા પર કાળું કૃત્ય આચરનાર મુખ્ય આરોપીને ગુનો કરવા માટે રૂમની વ્યવસ્થા કરી આપી હતી. ગુનામાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે ત્યારથી જેલના સળિયા ગણી રહ્યો છે.













