મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપારના મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ઊંઝા પોલીસે હાઈવે રોડ પર આવેલા ભવન કોમ્પ્લેક્સના પ્રથમ માળે સ્થિત 'ન્યુ વ્રજ ગેસ્ટ હાઉસ'માં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસે સંચાલક સહિત ગ્રાહકો અને મહિલાઓને ઝડપી પાડ્યા

આ સમગ્ર ઓપરેશન ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકી અને પીએસઆઈ એમ.કે. કાપડિયાની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પર તપાસ કરતા ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની હકીકત સામે આવી હતી. દરોડા દરમિયાન પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક સહિત ગ્રાહકો અને મહિલાઓને ઝડપી પાડ્યા હતા.

'ન્યુ વ્રજ ગેસ્ટ હાઉસ'માં ચાલતો હતો દેહવ્યાપાર  

પોલીસ તપાસ મુજબ, ચૌધરી ભરતભાઈ અને હિરાભાઈ પરમાર 'ન્યુ વ્રજ ગેસ્ટ હાઉસ'ના માલિક હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ગ્રાહકો તરીકે દશરથભાઈ બબાભાઈ કાળાભાઈ પરમાર (ઉંમર 21 વર્ષ), પ્રવિણભાઈ મોહનભાઈ ધનાભાઈ વાલ્મિકી (ઉંમર 20 વર્ષ) અને કનુભાઈ રમેશભાઈ કાન્તીભાઈ વાલ્મિકી (ઉંમર 23 વર્ષ) સહિતના લોકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

30,000નો મુદ્દામાલ કબજે કર્યો 

પોલીસે સ્થળ પરથી 3 મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે રૂપિયા 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તમામ આરોપીઓ સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઊંઝા જેવા વ્યસ્ત વેપારી શહેરમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે કડક કાર્યવાહી કરતાં સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે. પોલીસનું કહેવું છે કે આવા અસામાજિક તત્વો સામે આગળ પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે અને ગેરકાયદે દેહવ્યાપારના રેકેટને જડમૂળથી નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar News : બે દિવસમાં કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો


  • Follow us on: