- સામંથા રૂથ પ્રભુ સાઉથની ફેમસ એક્ટ્રેસ છે
- સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન 2017માં થયા હતા
- સામંથા અને નાગા ચૈતન્યના ડિવોર્સના ત્રણ વર્ષ બાદ કહી આ વાત
સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુને કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં તેણે નાગા ચૈતન્યથી છૂટાછેડા વિશે ખુલીને વાત કરી હતી.
છૂટાછેડાને લઈને કરી આ વાત
સામંથા રૂથ પ્રભુ છેલ્લે વિજય દેવેરાકોંડાની સાથે ફિલ્મ 'કુશી'માં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તેણે થોડો સમય બ્રેક લીધો હતો. એક્ટ્રેસે ફેન્સને જણાવ્યું હતું કે તે માયોસાઈટિસ નામની બીમારીથી પીડિત છે. આ સાથે તેણે નાગા ચૈતન્યથી છૂટાછેડા પર ઘણું કહ્યું. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં સામંથાએ કહ્યું છે કે "આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે આપણા જીવનમાં કેટલીક વસ્તુઓ બદલી શકીએ અને ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે શું મારે તે વસ્તુઓમાંથી પસાર થવાની જરૂર છે. પરંતુ જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો."
પડકારોનો સામનો કરવો જ પડે: સામંથા
સામંથાએ વધુમાં કહ્યું કે, "હું થોડા સમય પહેલા મારા મિત્રો સાથે આ વિશે વાત કરી રહી હતી અને હું હંમેશા વિચારતી હતી કે હું છેલ્લા ત્રણ વર્ષ જેવું થયું તેવું નથી ઈચ્છતી. પરંતુ હવે મને લાગે છે કે તમારે જીવનમાં જે આવે છે તે બધું સ્વીકારવું પડશે. તમારે પડકારોનો સામનો કરવો પડશે અને જ્યારે તમે આ પડકારોને પાર કરશો, ત્યારે મને લાગ્યું છે કે હું પહેલા કરતા વધુ મજબૂત બની છું કારણ કે હું અહીં સુધી પહોંચવા માટે લડી છું."
2021માં લીધા છૂટાછેડાં
તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યની પહેલી મુલાકાત ફિલ્મ 'યે માયા ચેસાવે'ના સેટ પર થઈ હતી. આ પછી બંને એકબીજાની નજીક આવ્યા અને પછી લાંબા સમય સુધી ડેટ કર્યા. ત્યારબાદ સામંથા અને નાગાએ વર્ષ 2017 માં લગ્ન કર્યા. પરંતુ લગ્નના માત્ર 4 વર્ષ બાદ જ કપલે અલગ થવાનો નિર્ણય કર્યો. સામંથા અને નાગાએ વર્ષ 2021માં છૂટાછેડા લીધા હતા.