શિલ્પા શિરોડકર પછી, હવે 'જ્વેલ થીફ' એક્ટ્રેસ નિકિતા દત્તાએ ખુલાસો કર્યો છે કે તે અને તેની માતા કોરોના પોઝિટિવ છે. તેને સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સને સાવધ રહેવાની સલાહ સાથે આ વાત કહી.
નિકિતાને થયો કોરોના
નિકિતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે "કોવિડ મને અને મારી માતાને નમસ્તે કહેવા આવ્યો છે. આશા છે કે આ બિનઆમંત્રિત મહેમાન જલ્દી જતો રહેશે. આ ટૂંકા ક્વોરેન્ટાઈન પછી આપણે ફરી મળીશું. બધા સુરક્ષિત રહો." તે હાલમાં ઘરે ક્વોરેન્ટાઈનમાં છે અને તેને ફક્ત હળવા લક્ષણો છે. તેને હાલ પૂરતું પોતાનું બધું કામ બંધ કરી દીધું છે.
શિલ્પા શિરોડકરે આપ્યું હેલ્થ અપડેટ
શિલ્પા શિરોડકરે જણાવ્યું છે કે હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે અને સ્વસ્થ અનુભવી રહી છે. શિલ્પા શિરોડકરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે "આખરે સ્વસ્થ થઈ ગઈ, સારું લાગ્યું. તમારા બધાના પ્રેમ બદલ આભાર. ગુરુવારની શુભકામનાઓ,"

શિલ્પાએ 19 મેના રોજ જણાવ્યું હતું કે તેને કોવિડ થયો છે. COVID-19 એ SARS-CoV-2 નામના વાયરસથી થતો વાયરલ રોગ છે.
કોવિડનું જોખમ ફરી વધી રહ્યું છે?
IANSના રિપોર્ટ મુજબ એશિયાના કેટલાક ભાગોમાં કોવિડના કેસ ફરી વધવા લાગ્યા છે. હોંગકોંગ અને સિંગાપોરમાં ઘણા નવા કેસ નોંધાયા છે. હોંગકોંગના આરોગ્ય વિભાગે કહ્યું છે કે વાયરસ હજુ પણ એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં પણ કેસ વધ્યા છે. એક અઠવાડિયામાં, કેસ 12 થી વધીને 56 થયા છે. હાલમાં ભારતમાં 257 એક્ટિવ કેસ છે, જેમાંથી મોટાભાગના કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના છે.
આ વખતે કેસોમાં વધારાનું કારણ JN.1 વેરિઅન્ટ અને તેના જેવા અન્ય વાયરસ, જે ઓમિક્રોન પરિવારના છે, તે હોવાનું માનવામાં આવે છે. કોવિડ સૌપ્રથમ જાન્યુઆરી 2020 માં ફેલાયો હતો, ત્યારબાદ તેને સમગ્ર વિશ્વમાં રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો.













