• કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ વચ્ચેની મિત્રતા આજે પણ એવી જ છે જેવી પહેલા હતી
  • કેટરીનાએ કહ્યું હતું કે તેણે રાત્રે લગભગ 2-3 વાગ્યે આલિયાને મેસેજ કર્યો હતો
  • કેટરીનાએ આલિયા ભટ્ટને મદદ માટે કહ્યું હતું

બોલિવુડ એક્ટ્રેસ વચ્ચેની મિત્રતાનું ઉદાહરણ આજે પણ બોલિવુડમાં આપવામાં આવે છે. જ્યારે પણ મિત્રતાની વાત થશે, ત્યારે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ યાદ આવશે. બંને ઘણા વર્ષોથી સારા મિત્રો છે. તેઓ ઘણીવાર સાથે ક્વોલિટી ટાઈમ સાથે પસાર કરતાં અને જીમ કરતા જોવા મળતા હતા. આજે ભલે તેઓ સાથે ઓછા જોવા મળે છે, પરંતુ તેમની મિત્રતા આજે પણ એવી જ છે જેવી પહેલા હતી.

એકવાર બંને એક શોમાં ગયા હતા, જ્યાં કેટરીનાએ કહ્યું હતું કે તેણે રાત્રે લગભગ 2-3 વાગ્યે આલિયાને મેસેજ કર્યો હતો અને મદદ માટે કહ્યું હતું. એવું કયું મહત્ત્વનું કામ હતું કે તેણે આટલી મોડી રાત્રે મેસેજ કરવો પડ્યો?

કેટરીનાએ મોડી રાતે આલિયાને કર્યો મેસેજ

આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ એકવાર બીએફએફ વિધ વોગ શોમાં સાથે પહોંચી હતી. આ દરમિયાન બંનેએ તેમની પ્રોફેશનલ લાઈફ તેમજ તેમની મિત્રતા વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન કેટરિનાએ જણાવ્યું કે એકવાર તેણે રાત્રે લગભગ 2-3 વાગે આલિયા ભટ્ટને મેસેજ કર્યો હતો અને તેને ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયેલો પ્રશ્ન પૂછ્યો હતો અને તેની મદદ માંગી હતી.

શું હતો તે મેસેજ?

કેટરિના કૈફે આ શોમાં કહ્યું હતું કે, 'આલિયા મારી ઈન્સ્ટાગ્રામની સમસ્યાઓ સોલ્વ કરે છે. મેં એકવાર તેને રાત્રે 2-3 વાગ્યે મેસેજ કર્યો હતો. મેં તેને મેસેજ કરીને પૂછ્યું હતું કે મારો ફોટો ઈન્સ્ટાગ્રામ પર ફિટ નથી. આ માટે મારે શું કરવું જોઈએ? આ પછી આલિયાએ કહ્યું હતું કે ફોટોની સાઈઝ ઓછી કરવી પડશે, ત્યારપછી તેને અપલોડ કરવામાં આવશે. મેં પણ એવું જ કર્યું, પરંતુ આ પછી પણ મારો ફોટો અપલોડ ન થયો.

કેટરીના કહ્યું મોડી રાત્રે મેસેજ કરવો ખોટું હતું

કેટરીનાએ આગળ કહ્યું કે 'પછીથી મને ખબર પડી કે રાતના લગભગ 2 વાગ્યા હતા. આ સવાલ પૂછવાનો આ યોગ્ય સમય નથી. મને પાછળથી બહુ ખરાબ લાગ્યું. કેટરીનાની આ વાત સાંભળીને આલિયા ભટ્ટ અને અન્ય લોકો હસવા લાગ્યા. તમને જણાવી દઈએ કે એક સમયે કેટરીના કૈફ અને રણબીર કપૂર એકબીજાને ડેટ કરતા હતા, પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી રણબીરે આલિયા સાથે લગ્ન કર્યા. આ બધું હોવા છતાં, આલિયા અને કેટરીના હજી પણ મિત્રો છે.

  • Follow us on: