"ગુમ હૈ કિસીકે પ્યાર મેં" શોમાં લગ્ન કર્યા ત્યારથી ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ ચર્ચામાં છે. એક્ટ્રેસ "પત્રલેખા" ની ભૂમિકા ભજવી હતી, જ્યારે નીલે "વિરાટ ચૌહાણ" ની ભૂમિકા ભજવી હતી. આ કપલ બિગ બોસ 17 માં જોવા મળ્યું હતું અને ફેન્સના દિલ જીતી લીધા.
સેટ પરનો તેમનો પ્રેમ ટૂંક સમયમાં સુંદર લગ્નજીવનમાં પરિણમ્યો. આ ફેમસ ટીવી કપલના છૂટાછેડા ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઐશ્વર્યાને ઘણા ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેને આખરે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.
ઐશ્વર્યા શર્માએ ટ્રોલર્સ પર સાધ્યું નિશાન
17 નવેમ્બર 2025ના રોજ ઐશ્વર્યા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી નોંટ શેર કરી, જેમાં તેની સ્ટોરી વર્ણવી. એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક્ટ્રેસે વર્ણવ્યું કે કેવી રીતે લોકો તેના અને તેના જીવન વિશે બિનજરૂરી ધારણાઓ બનાવી રહ્યા છે. તેણે વર્ણવ્યું કે લોકો તેને કેવી રીતે બુલી કરી રહ્યા છે, "લોકો મારા જીવનમાં ખૂબ રસ લઈ રહ્યા છે, મેં શું કર્યું છે અને હું કોણ છું તે વિશે ધારણાઓ બનાવી રહ્યા છે... એક પણ વાત જાણ્યા વિના.
કેટલાક તો એમ પણ કહી રહ્યા છે કે, 'કર્મ એક બાજુ છે.' આ બધું માનતા પહેલા, જે લોકોએ ખરેખર મારી સાથે કામ કર્યું છે તેમને પૂછો. મારા કો-એક્ટરને પૂછો. મારા પ્રોડ્યુસરને પૂછો. મારા સેટ પર કોઈને પણ પૂછો કે શું મેં ક્યારેય કોઈને બુલી, અપમાન અથવા નુકસાન પહોંચાડ્યું છે. એક વાર પણ નહીં. મેં ફક્ત સેટ પર મારી પ્રોફેશનલિઝ્મ જાળવી રાખ્યું. મારા જીવનમાં બધું બરાબર છે."

પતિ સાથે છૂટાછેડા પર ઐશ્વર્યા શર્માએ તોડ્યું મૌન
આગળ ઐશ્વર્યા શર્માએ સમજાવ્યું કે નીલ ભટ્ટ સાથેની સગાઈ પછી તેને કેવી રીતે ટ્રોલ કરવામાં આવી છે. તેણે વર્ણવ્યું કે લોકોએ તેના લુક, સ્માઈલ અને તેના ફેસ પર પણ કેવી રીતે કોમેન્ટ કરી, પરંતુ કોઈ તેના માટે બોલ્યું નહીં. નીલ સાથેના તેના સંબંધોની ચર્ચાઓ શરૂ થઈ ત્યારથી તેની પર્સનલ લાઈફ વિશે ચૂપ રહેતી ઐશ્વર્યાએ સમજાવ્યું કે લોકો એવી વાર્તાઓની લિંક્સ શેર કરી રહ્યા છે જે સંપૂર્ણપણે ખોટી છે.
ઐશ્વર્યા શર્માએ લખ્યું છે કે "તો હું આ સ્પષ્ટપણે કહેવા માગુ છું... મેં મારા જીવનમાં ક્યારેય કોઈને ધમકાવ્યું નથી. જે લોકો નફા માટે જુઠ્ઠાણા ફેલાવે છે તેઓએ ખરેખર તેમના કાર્યો વિશે વિચારવું જોઈએ. તમે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરો છો... પરંતુ કોઈ એવી વ્યક્તિ વિશે નકારાત્મક કંઈપણ બોલતા પહેલા વિચારો જેને તમે વ્યક્તિગત રીતે જાણતા પણ નથી. કેટલાક લોકો ચૂપ રહેવાનું પસંદ કરે છે, અને હું તેમાંથી એક છું. પરંતુ ચૂપ રહેવાનો અર્થ એ નથી કે તમે જે ઈચ્છો તે કહી શકો છો. હું મારો પોતાનો પક્ષ લઈશ અને મારી પોતાની ગરિમાનું રક્ષણ કરીશ."
ઐશ્વર્યા અને નીલ પહેલીવાર ક્યાં મળ્યા હતા?
નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા પહેલી વાર "ગુમ હૈ કિસીકે પ્યાર મેં"ના સેટ પર મળ્યા હતા. આ શો દરમિયાન જ તેઓ પ્રેમમાં પડ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેઓએ 2021 માં લગ્ન કર્યા અને બાદમાં "બિગ બોસ 17" માં સાથે જોવા મળ્યા હતા.