અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બોલીવુડ એક્ટર વિક્રાંત મેસીના કઝીન ભાઈનું અવસાન થયું. એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી.
આ અકસ્માત બાદ વિક્રાંત મેસીને ખૂબ જ દુઃખ થયું. તેને સોશિયલ મીડિયા પર પોતાના કઝીન ભાઈના મોતને લઈને દુઃખ વ્યક્ત કર્યું. બોલીવુડના ઘણા ફેમસ સ્ટાર્સે પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.
વિક્રાંત મેસીએ વ્યક્ત કર્યું દુઃખ
વિક્રાંત મેસીએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે આ દુર્ઘટના તેમના હૃદયની ખૂબ નજીક છે. તેને લખ્યું કે આજે અમદાવાદમાં થયેલા અકલ્પનીય દુ:ખદ હવાઈ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો માટે મારું દિલ તૂટી ગયું છે.
મને એ જાણીને વધુ દુઃખ થયું કે મારા કાકા ક્લિફોર્ડ કુંદરે તેમના પુત્ર ક્લાઈવ કુંદરને ગુમાવ્યો, જે તે દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઈટમાં કામ કરતો કો-પાયલટ હતો. ભગવાન તમને, તમારા પરિવારને અને અસરગ્રસ્ત બધાને શક્તિ આપે.

બોલીવુડ એક્ટ્રેસના મિત્રએ પણ ગુમાવ્યો જીવ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બોલીવુડ એક્ટ્રેસ પાયલ ઘોષની મિત્ર પ્રીતિનું પણ મૃત્યુ થયું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે આ અકસ્માતમાં તેની મિત્રને ગુમાવી છે. તેણે તેના મિત્રના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે 'પ્રીતિ શાંતિથી રહે. મારી સંવેદના ચેટર્જી પરિવાર સાથે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના.'
બોલીવુડ સેલેબ્સે વ્યક્ત કર્યું દુઃખ
તમને જણાવી દઈએ કે આ અકસ્માત બાદ શાહરૂખ ખાન, આમિર ખાન સિવાય કરીના કપૂર, આલિયા ભટ્ટ, સની દેઓલ, અક્ષય કુમાર, દિશા પટણી, સોનુ સૂદ, રિતેશ દેશમુખ જેવી ફિલ્મી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.