ચારુ આસોપાએ રાજીવ સેનથી છૂટાછેડા લીધા બાદ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અભિનેત્રીએ ટીવી અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. તેથી હવે તે તેના પરિવાર સાથે રહેવા માટે બીકાનેર શિફ્ટ થઈ ગઈ છે. અહીં અભિનેત્રીએ કપડાંનો વ્યવસાય શરૂ કર્યો છે. આ સિવાય વ્લોગ પણ બનાવે છે. હાલમાં અભિનેત્રી ફરી એકવાર તેની પુત્રી જિયાનાના ઉછેર વિશે વાત કરતી જોવા મળી હતી અને કહ્યું હતું કે તે પરિવારના ટેકાથી બધું જ કરી શકે છે.


છૂટાછેડા બાદ ચારુએ દીકરીનો કેવી રીતે કર્યો ઉછેર?

આ વ્લોગમાં ચારુ આસોપાએ સિંગલ મધર તરીકેની પોતાની સફર શેર કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે પોતાની પુત્રી જિયાનાનો ઉછેર કરતી વખતે પોતાનું કામ કેવી રીતે મેનેજ કરે છે. આ રોલમાં તેની સૌથી મજબૂત સપોર્ટ સિસ્ટમ તેનો પરિવાર છે. એટલા માટે તે પોતાની પુત્રી સાથે મળીને પોતાનો વ્યવસાય અને શૂટિંગનું કામ સંભાળી શકે છે.

મારી પાસે પરિવારનો ટેકો: ચારુ

ચારુ કહે છે કે, જ્યારે કોઈ કંઈક આપણા માટે કરી રહ્યું હોય છે ત્યારે આપણે તેમની મહેનત જોઈએ છીએ. પરંતુ આપણે ઘણીવાર એવા લોકો તરફ ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ જે તેમને ટેકો આપી રહ્યા છે તેમના કારણે જ આપણે આપણું કામ કરી શકીએ છીએ. જો હું જીમમાં જઈ શકું છું, મારા વ્યવસાયનું ધ્યાન રાખી શકું છું, શૂટિંગ કરી શકું છું, તો આ બધું થાય છે કારણ કે મારી પાસે ઘણા લોકો છે જે મને ટેકો આપે છે. મારો પરિવાર, સ્ટાફ અને પ્રિયા છે જે બધું સંભાળે છે. તેઓ કહે છે કે, જાવ તમારું કામ કરો, અમે ઝિયાના અને બીજા બધાનું ધ્યાન રાખી રહ્યા છીએ...'

તમને જણાવી દઈએ કે ચારુ આસોપા એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી રહી છે. તેમણે સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા. બંને એક પુત્રીના માતા-પિતા બન્યા પરંતુ તેમના સંબંધો ટકી શક્યા નહીં અને બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. હવે અભિનેત્રી તેના પરિવાર સાથે બીકાનેરમાં રહે છે તેણે ત્યાં પોતાનું ઘર પણ ખરીદ્યું છે.



  • Follow us on: