રણીબર કપૂર અને નિતેશ તિવારીના ડાયરેકશનમાં બનતી 'રામાયણમ' ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં જોવા મળી છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો.  'રામાયણમ' ના ફર્સ્ટ લુક રિલીઝ થતા જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. લોકો ફિલ્મનું ટ્રેલર વધુ પસંદ આવ્યું છે. અને એટલે જ આ ફિલ્મે રણબીરની આદિપુરુષની જેમ વિવાદમાં ના સપડાવવું પડે માટે પ્રોડકશન હાઉસે પંડિતોની ફોજ ઉતારી છે.


આદિપુરુષ ફિલ્મ થઈ ટ્રોલ

આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોથી લઈને ધાર્મિક સમુદાય દ્વારા ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો. આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોથી લઈને ધાર્મિક સમુદાય દ્વારા ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો. આ ફિલ્મમાં રાવણ બનતા સૈફ અલી ખાનની લોકોએ ખૂબ ટીકા કરી હતી. નિર્માતાઓ પર ધાર્મિક લાગણી દુભાવ્યાનો પણ આક્ષેપ કરાયો હતો. VFX ટેકનોલોજીનો ઉપયોગ કર્યા બાદ વિવાદને પગલે 200 કરોડના ખર્ચે બનેલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. એટલે જ આ વખતે ભારતના ધાર્મિક ગ્રંથ પર બનતી ફિલ્મ 'રામાયણમ'માં સંવાદ અને ઇફેક્ટથી લઈને તમામ સ્તર પર નિર્માતાઓ ધ્યાન આપી રહ્યા છે.

400 કરોડોના ખર્ચે બનશે ફિલ્મ

નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા બનતી આ ફિલ્મમાં લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તેનું વિશેષ ધ્યાન રખાયું. 'રામાયણમ'ની સ્ક્રિપ્ટ , પટકથા અને સંવાદ માટે પંડિતો અને ઉચ્ચ શાસ્ત્રીઓની મદદ લેવામાં આવી છે. જેથી કરીને સંવાદ વધુ ફિલ્મી ના લાગે અને શાસ્ત્રીય મૂલ્યો પણ જળવાઈ રહે. જણાવી દઈએ કે 400 કરોડોના ખર્ચે બનતી 'રામાયણમ' ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી લીધી છે. એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરતા જ કરોડો રૂપિયા કમાયા.

  • Follow us on: