'સૈયારા' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અભિનેત્રી અનન્યા પાંડેના ભાઈ અહાન પાંડેએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની અભિનેત્રી અનિતા પઢ્ઢા અગાઉ પણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ 'સૈયારા' ફિલ્મથી અનિતાને અભિનેત્રી તરીકે વધુ લોકપ્રિયતા મળી.


ફિલ્મે બદલ્યું કલાકારનું જીવન

મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલ 'સૈયારા' ફિલ્મે 'બોક્સ ઓફિસ પર ગદર મચાવતા અન્ય કલાકારોનું પણ જીવન બદલાયું છે. આ ફિલ્મથી અહાન અને અનિતાને લઈને યુવાનોમાં ક્રેઝ જોવા મળ્યો. જ્યારે  'સારાભાઈ વર્સિસ સારાભાઈ', 'એક્સક્યુઝ મી મેડમ' અને 'કોટા ફેક્ટરી' ઉપરાંત અન્ય સીરિયલો અને ફિલ્મોમાં કામ કરનાર રાજેશે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો. 'સૈયારા' ફિલ્મનો ભાગ રહેલ આ કલાકાર રાજેશે કહ્યું કે આ ફિલ્મ સુપરહિટ થતા તેમની કારર્કિદીને વધુ ઊંચાઈ મળી છે. પરંતુ એક સમય એવો પણ હતો કે હું આર્થિક તંગીમાં ફસાઈ ગયો હતો.

આર્થિક દેવામાં ફસાયો કલાકાર

રાજેશે કહ્યું કે એક સમયે મારા માથે 2 કરોડનું દેવું હતું. હું મોટા દેવામાં ડૂબી ગયો હતો અને બાળકોની ફી ચૂકવવા પણ મારી પાસે પૂરતા પૈસા નહોતા. ફી ચૂકવવા મેં શાકભાજીનું પણ વેચાણ કર્યું હતું. જણાવી દઈએ કે અભિનેતા રાજેશે 2019માં અભિનય છોડી ખેતીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ ખેતી માટે તેમણે જે યોજના બનાવી હતી તે મુજબ સફળતા ના મળી. આ અંગે તેમણે કહ્યું કે હું લોકોની ખોટી માન્યતા તોડવા માંગતો હતો કે  કારકિર્દીના વિકલ્પ ના હોય તેવા જ લોકો ખેતી કરે છે. જો કે ખરાબ સમયમાં મારા પરિવારે ખૂબ ટેકો આપ્યો. આજે સફળતા મળી તે મારા પરિવાર અને તેમની ધીરજનું જ પરિણામ છે.

  • Follow us on: