વેબ સિરીઝ 'પંચાયત'ના ચાહકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક અદ્ભુત સરપ્રાઈઝ શેર કર્યું છે. પીએમ મોદીએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ રીલ શેર કરી છે, જેમાં તેઓ 'પંચાયત' સીરીઝના લોકપ્રિય કલાકારો દુર્ગેશ કુમાર (ભૂષણ ઉર્ફે બનરાસ) અને અશોક પાઠક (બિનોદ) સાથે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે. આ રીલ વાયરલ થવાનું કારણ માત્ર પીએમ મોદીની આ કલાકારો સાથેની મુલાકાત જ નહીં, પરંતુ Backgroundમાં વાગી રહેલી 'પંચાયત' સીરીઝની પ્રખ્યાત થીમ ટ્યુન પણ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
'બિનોદ' સાથે પીએમ મોદીની ખાસ મુલાકાત અને રમુજી કેપ્શન
આ વાયરલ વીડિયો પ્રજાસત્તાક દિવસ સમિટ (Republic Day Summit) નો છે, જ્યાં પીએમ મોદી આમંત્રિત મહેમાનોને મળી રહ્યા હતા. વીડિયોમાં પીએમ મોદી સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કોનિડેલાને મળે છે. ત્યારબાદ તેઓ આગળ વધીને દુર્ગેશ કુમાર અને અશોક પાઠક સાથે ખૂબ જ ઉષ્માભેર હાથ મિલાવે છે અને હસતા-હસતા વાતચીત કરે છે. પીએમ મોદીએ આ રીલના કેપ્શનમાં લખ્યું, "વિનોદ સાથે કેટલાક શબ્દો" (જ્યાં શોનો ફેમસ ડાયલોગ 'દેખ રહા હે વિનોદ' યાદ આવી જાય). પીએમ મોદીની આ પોસ્ટ પર કલાકાર અશોક પાઠકે પોતે કમેન્ટ કરીને લખ્યું, "તમારા પ્રેમ અને આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર."













