'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો નાના પડદા પર ધૂમ મચાવવામાં કોઈ કસર છોડી નથી. શોની કહાની સાથે તેની સ્ટાર્સ કાસ્ટ દર્શકોના દિલમાં વસેલી છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, બબીતાજી અને જેઠાલાલે આ શો છોડી દીધો છે. બંને અચાનક જ કેટલાક એપિસોડમાં ગાયબ જોવા મળ્યા હતા તેથી ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. ત્યાર બાદ સ્પષ્ટ થઈ ગયું કે બબીતાજી અને જેઠાલાલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહ્યું ન હતું. તે જ સમયે, હવે દિલીપ જોશીએ શોમાંથી ગાયબ થવા પર પોતાનું મૌન પણ તોડ્યું છે.


જેઠાલાલે શોમાંથી ગાયબ થવાનું કારણ જણાવ્યું

દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં થોડા દિવસો સુધી ન દેખાવવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું થોડા દિવસો માટે શહેરની બહાર હતો અને પરિણામે હું કેટલાક એપિસોડમાં દેખાયો નહીં. તેથી જ લોકોએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી લીધો એવી અટકળો શરૂ કરી હતી. મને ખબર નથી કે સોશિયલ મીડિયા પર આવા સમાચાર કેમ ફેલાય છે. જેમ કહ્યું તેમ હું સેટ પર પાછો ફર્યો છું અને શોનું શૂટિંગ કરી રહ્યો છું. જ્યાં સુધી શો પ્રસારિત થશે ત્યાં સુધી હું તેનો ભાગ રહીશ.'

દિલીપ જોશીએ પોતાના નિવેદન દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી પર પ્રસારિત થઈ રહી છે ત્યાં સુધી તેઓ ક્યાંય જવાના નથી. તમને જણાવી દઈએ કે દિલીપ જોશીની સાથે મુનમુન દત્તાના પણ શો છોડવાની અટકળો ચાલી રહી હતી પરંતુ તેણીએ એક પોસ્ટ શેર કરીને આ અટકળોનો અંત લાવી દીધો.


  • Follow us on: