• વિક્રમજીત સિંહ સાહનીએ એરપોર્ટ કર્યો ખુલાસો
  • રાઘવ-પરિણીતીએ વિક્રમજીત સિંહ સાહનીના સજેશનનો કર્યો સ્વીકાર
  • ડેસ્ટિનેશન વેડિંગ માટે કપલે કર્યું ઉદયપુરને પસંદ

ગ્લેમર અને રાજકારણનો સમન્વય ધરાવતી પરિણીતી ચોપરા અને રાઘવના લગ્ન આજે 24મી સપ્ટેમ્બરે ઉદયપુરના ધ લીલા પેલેસમાં થઈ રહ્યા છે. આ લગ્નમાં બંને સેલેબ્સના સંબંધીઓ અને ખૂબ જ નજીકના લોકોએ હાજરી આપી હતી. શું તમે જાણો છો કે રાઘવ અને પરિણીતીએ તેમના ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર કેમ પસંદ કર્યું? આ સમયે તમને એ જાણીને નવાઈ લાગશે કે આખરે અનેક સ્થળો જોયા બાદ શા માટે રાઘવ-પરિણીતીએ આ સ્થળ એટલે કે ઉદયપુરને લગ્ન માટે પસંદ કર્યું. આખરે આ જગ્યા સજેસ્ટ કરનાર વ્યક્તિ કોણ છે.

રાઘવ-પરિણીતીએ સ્થળ પસંદ કરતા પહેલા ઘણા લોકોની સલાહ લીધી

રાઘવ અને પરિણીતિના અફેરની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેમના લંચ અને ડિનર ડેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. પહેલા તો બંનેએ મૌન જાળવ્યું, પરંતુ સગાઈ દરમિયાન ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ પછી તેમના વેડિંગ ડેસ્ટિનેશનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે રાઘવ અને પરિણીતીએ ડેસ્ટિનેશન વેડિંગ માટે સ્થળ પસંદ કરતા પહેલા ઘણા લોકોના અભિપ્રાય લીધા હતા.

આ વ્યક્તિની સલાહ પર ઉદયપુરની પસંદગી કરી

રાઘવ અને પરિણીતી કોઈ સ્ટારની સલાહ પર ઉદયપુરમાં લગ્ન કરવા માટે રાજી ન થયા. પરંતુ આમ આદમી પાર્ટીના નેતા વિક્રમજીત સિંહ સાહનીની સલાહ પર તેમણે પોતાના ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર પસંદ કર્યું. આ લગ્નમાં હાજરી આપવા માટે વિક્રમજીત સિંહ સાહની ઉદયપુર પહોંચી ગયા છે. આ સમયે તેમણે ખુલાસો કર્યો કે રાઘવ અને પરિણીતીએ તેમના કહેવા પર લગ્ન માટે ઉદયપુર પસંદ કર્યું હતું.

વિક્રમજીતે આ કારણથી સલાહ આપી હતી

વિક્રમજીત સિંહ સાહનીએ જણાવ્યું કે લગ્ન બાદ તે પોતે હનીમૂન પર લેક સિટી ઉદયપુર આવ્યા હતા. તેમને આ શહેર ખૂબ ગમે છે. આવી સ્થિતિમાં તેમણે રાઘવ અને પરિણીતીને આ સુંદર શહેરને તેમના લગ્નનું સાક્ષી બનાવવાની સલાહ પણ આપી હતી, જેને સેલિબ્રિટી કપલે સ્વીકારી હતી.

  • Follow us on: