• તુનિષા કેસમાં શીઝાન પોલીસ કસ્ટડીમાં
  • મેકર્સે કર્યો શીઝાન ખાનને રીપ્લેસ
  • યૂઝર્સે કહ્યું કે શીઝાન જ અલીબાબા માટે બેસ્ટ છે

તુનિષા શર્માની સીરિયલ અલી બાબા દાસ્તાન-એ-કાબુલ સીરિયલે હાલમાં જ શોનો નવો પ્રોમો જાહેર કર્યો છે. આ પ્રોમોમાં મેકર્સ શીઝાન ખાનને રિપ્લેસ કરીને નવા ચહેરાની સાથે જૂના કિરદારની શોમાં ફરી એન્ટ્રી કરાવવાના છે. પરંતુ સોશિયલ મીડિયા પર મેકર્સે જ્યારે નવો પ્રોમો રીલિઝ કર્યો તો તેને જોઈને ફેન્સ ભડકી ઉઠ્યા. તે સતત સીરિયલના મેકર્સને અનેક વાતો સંભળાવી રહ્યા છે. એટલું નહીં તેઓએ શોના મેકર્સને ધમકી પણ આપી છે. તેની પાછળનું કારણ શોમાં શીઝાન ખાનને ન દેખાડવો કે તેની જગ્યાએ મેકર્સ અન્ય કોઈને લઈ આવે તે છે.

બદલાઈ જશે અલીબાબા

શીઝાન ખાન અલી બાબા દાસ્તાન-એ-કાબુલ સીરિયલમાં અલી બાબાનો રોલ નિભાવી રહ્યા હતા પરંતુ તુનિષા શર્માના મોતના આરોપમાં શીઝાન હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જેના કારણે મેકર્સે સીરિયલમાં તેની જગ્યાએ નવો ચહેરો લાવવાનું નક્કી કર્યું છે. આ નવા ચહેરાનું નામ અભિષેક નિગમ છે. તેની ઝલક દેખાડતા મેકર્સે શોનો નવો પ્રોમો રીલિઝ કર્યો છે. આ પ્રોમોમાં અભિષેક અલી બાબાના રૂપમાં જોવા મળી રહ્યા છે. આ પ્રોમોને સબ ટીવીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શન સાથે શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે- જલ્દી કંઈ મોટું આવવાનું છે...ત્યાં સુધી જોડાયેલા રહો.

https://www.instagram.com/reel/CneQJjwuV0s/?utm_source=ig_web_copy_link

ભડકી ઉઠ્યા ફેન્સ

આ પ્રોમોને સબ ટીવીએ જ્યારે રીલીઝ કર્યો તો શીઝાનની જગ્યાએ અભિષેકને જોઈને ફેન્સ ભડકી ઉઠ્યા. એક યૂઝરે લખ્યું - અલી બાબાના શીઝાન જ બેસ્ટ છે. તો અન્ય એક યૂઝરે લખ્યું - અમારે શીઝાન જ જોઈએ નહીં તો અમે શો છોડી દઈશું. તો અન્ય એક યૂઝરે લખ્યું કે આ શો શીઝાન વિના ચાલી શકશે નહીં કેમકે તેનામાં કંઈ વાત છે. ઉલ્લેખનીય છે કે તુનિષા શર્માએ પોતાની સીરિયલના સેટના મેકઅપ રૂમમાં ફાંસી લગાવીને સુસાઈડ કરી લીધું હતું. તુનિષાના મોત બાદ પરિવારે એફઆઈઆર નોંધાવીને શીઝાન પર તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારથી શીઝાન પોલીસ કસ્ટડીમાં છે. 

  • Follow us on: