• શાહરૂખ ખાન આ વર્ષે ત્રીજી વખત માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો છે
  • આ વર્ષે જાન્યુઆરીમાં 'પઠાણ' અને સપ્ટેમ્બરમાં 'જવાન' રીલિઝ થાય તે પહેલાં, તેણે વૈષ્ણોદેવીની મુલાકાત લીધી હતી
  • શાહરૂખ માતા વૈષ્ણો દેવીને પોતાના માટે લકી માની રહ્યો છે

Shah Rukh Khan Visit Mata Vaishno Devi: શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ડંકી' રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચી ગયો છે. આજે સવારે શાહરૂખ ખાન વૈષ્ણો દેવીના દરબારમાં જોવા મળ્યો હતો. અહીં તેમણે પોતાની ફિલ્મ 'ડંકી'ની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

ફિલ્મ 'ડંકી'ની સફળતા માટે પ્રાર્થના કરી

શાહરૂખ ખાન આ વર્ષે ત્રીજી વખત માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો છે. અગાઉ, આ વર્ષે જાન્યુઆરીમાં 'પઠાણ' અને સપ્ટેમ્બરમાં 'જવાન' રીલિઝ થાય તે પહેલાં, તેણે વૈષ્ણોદેવીની મુલાકાત લીધી હતી. શાહરૂખ માતા વૈષ્ણો દેવીને પોતાના માટે લકી માની રહ્યો છે.

શાહરૂખ ખાન આ વર્ષે ત્રીજી વખત માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો 

શાહરૂખ ખાન વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને કેટલાક પોલીસકર્મીઓ સાથે જોવા મળ્યો હતો. શાહરૂખ ખાને 11 મહિનામાં 3 વખત વૈષ્ણોદેવીની મુલાકાત લીધી છે. આ દરમિયાન શાહરૂખે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.શાહરૂખ ખાનની 'ડંકી'ને રાજ કુમાર હિરાનીએ ડિરેક્ટ કરી છે. આમાં તેની સાથે વિકી કૌશલ, તાપસી પન્નુ અને બોમન ઈરાની જેવા કલાકારો છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે.

શાહરૂખ ખાન વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને કેટલાક પોલીસકર્મીઓ સાથે જોવા મળ્યો હતો

શાહરૂખ ખાને આ વર્ષે 'પઠાણ' અને 'જવાન' દ્વારા રેકોર્ડ તોડ્યા અને વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી. આ બંને ફિલ્મોએ બોલિવૂડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે હવે કેટલાક લોકોનું કહેવું છે કે 'ડંકી' શાહરૂખની 'જવાન' અને 'પઠાણ'ના રેકોર્ડ તોડી શકશે નહીં. કારણ કે આ સ્ટોરી લાઇન એક્શન ફિલ્મો સાથે મેળ ખાતી નથી.

  • Follow us on: