ઐશ્વર્યા રાયે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. એક સમય એવો હતો જ્યારે દરેક ડાયરેક્ટર ઐશ્વર્યા રાયને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યા રાય સાથે વાત કર્યા બાદ તેને 10 લોકોની ટીમે ફિલ્મ 'ચલતે ચલતે'માંથી કાઢી મુકી હતી.
આ વાતથી ઐશ્વર્યા રાય પણ ઘણી નારાજ હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં પણ આ મુદ્દે વાત કરી હતી.
ઐશ્વર્યા શેના પર ગુસ્સે હતી?
સિમી ગ્રેવાલ સાથેના પોડકાસ્ટમાં ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે શાહરૂખ ખાને તેને કોઈ કારણ આપ્યા વિના ફિલ્મમાંથી કાઢી મૂકી હતી. તેને બહાર કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી અને રાની મુખર્જીને સાઈન કરવામાં આવી.
એસઆરકેને થયો પસ્તાવો
આ નિર્ણય લીધા બાદ શાહરૂખ ખાને ઘણો પસ્તાવો પણ કર્યો હતો. એક્ટરે કહ્યું હતું કે તેને આવો નિર્ણય લેવા બદલ ખૂબ જ પસ્તાવો છે. એક્ટરે કહ્યું કે ઐશ્વર્યા તેની મિત્ર છે અને તેણે ઘણું ખોટું કર્યું છે.
શાહરૂખ ખાને કહી આ વાત
શાહરૂખ ખાને કહ્યું કે ઐશ્વર્યા રાય મારી ખૂબ સારી મિત્ર રહી છે. તે મારી ફેવરિટ કો-સ્ટાર છે. મેં તેની સાથે ઘણી ફિલ્મો કરી છે. અમે જોશ, મોહબ્બતેં અને દેવદાસ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. મને દુઃખ થાય છે કે વસ્તુઓ એવા સ્તરે પહોંચી ગઈ છે, જ્યાં પહોંચવી જોઈતી ન હતી.
'મને ઐશ્વર્યા માટે ખરાબ લાગે છે': શાહરૂખ ખાન
એક્ટરે કહ્યું કે મારા હાથ બંધાયેલા હતા અને હું ફિલ્મનો મેકર પણ હતો. મને ઐશ્વર્યા રાય માટે ખૂબ જ ખરાબ લાગે છે. એક્ટરે વધુમાં કહ્યું કે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી પડતો મૂકવાનો નિર્ણય 10-12 લોકોએ મળીને લીધો હતો. આખી કંપનીની પ્રતિષ્ઠા દાવ પર હતી.
ઐશ્વર્યાએ કેમ માંગી માફી?
તમને જણાવી દઈએ કે સલમાન ખાન સાથે સંબંધિત એક કેસ બાદ ઐશ્વર્યાને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી. સેટ પર સલમાન અને ઐશ્વર્યા વચ્ચે ઘણી લડાઈ થઈ હતી, જેના કારણે હંગામો થયો હતો. શાહરૂખ ખાને કહ્યું કે સલમાન ખાને આ માટે મારી માફી પણ માગી હતી અને બાદમાં ઐશ્વર્યાએ માફી પણ માગી હતી.