બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન જેટલો ફેમસ છે, તેનો બંગલો 'મન્નત' પણ એટલો જ પોપ્યુલર છે. કોઈ પણ તહેવાર હોય કે શાહરૂખ ખાનનો જન્મદિવસ, મન્નતની બહાર ફેન્સની ભીડ જોવા મળે છે.
જ્યારે લોકો મુંબઈની મુલાકાત લે છે, ત્યારે પણ તેઓ શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે મન્નતની બહાર ચોક્કસ ફરે છે. હવે આ ફેન્સ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. શાહરૂખ ખાન હવે મન્નત છોડીને પોતાના પરિવાર સાથે બીજે ક્યાંક શિફ્ટ થવા જઈ રહ્યો છે.
શાહરુખ ખાન મન્નત છોડીને ભાડાના ફ્લેટમાં થશે શિફ્ટ
શાહરૂખ ખાન હવે તેના પરિવાર સાથે આ બંગલો છોડીને ભાડાના ઘરમાં રહેવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાન પરિવાર પાલી હિલ વિસ્તારમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે અને એક્ટરે વાશુ ભગનાનીના લક્ઝરી એપાર્ટમેન્ટના 4 માળ ભાડે પણ લીધા છે. આ પૂજા કાસા બિલ્ડિંગમાં લક્ઝરી એપાર્ટમેન્ટ્સ છે.
એક મહિનાનું ભાડું અધધ
મીડિયા રિપોર્ટ મુજબ દરેક માળે એક ફ્લેટ છે, પરંતુ તે મન્નત જેટલો મોટો નથી. છતાં, તેમની અને બાકીના સ્ટાફની સલામતી માટે અહીં પૂરતી જગ્યા છે. શાહરૂખ ખાન આ ફ્લેટ માટે દર મહિને લગભગ 24 લાખ રૂપિયા ભાડા તરીકે ચૂકવશે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાને 'મન્નત'ને હંમેશા માટે છોડ્યો નથી, પરંતુ તે થોડા સમય માટે સ્થળાંતર કરી રહ્યો છે.
શાહરૂખ ખાન તેના પરિવાર સાથે મન્નત છોડીને જવાનું કારણ શું છે?
મીડિયા રિપોર્ટ મુજબ મન્નતમાં કેટલાક રેનોવેશન અને એક્સટેન્શનનું કામ થવાનું છે. આ બધા કામો મે 2025 થી શરૂ થશે અને લગભગ 2 વર્ષ સુધી ચાલુ રહેશે. આવી પરિસ્થિતિમાં, જ્યાં સુધી મન્નતમાં કોઈ નવીનીકરણનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાન પરિવારને બીજે ક્યાંક સ્થળાંતર કરવું પડશે. મન્નત તૈયાર થતાં જ શાહરૂખ તેની પત્ની ગૌરી ખાન અને તેમના ત્રણ બાળકો સાથે અહીં પાછો ફરશે.