- અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ
- આલિયા અને રણબીર જામનગરમાં અંબાણીના ઘરે જોવા મળ્યા
- કપલનું પ્રી-વેડિંગ પાર્ટીમાં રોમેન્ટિક ગીતો પર ખાસ પરફોર્મન્સ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના બંધને બંધાશે.અંબાણી પરિવારમાં બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ભવ્ય લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ પણ ઉમટશે. કેટલાક સ્ટાર્સ ડાન્સ પરફોર્મન્સ પણ આપવાના છે જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું નામ પણ સામેલ છે. એટલું જ નહીં, આ કપલે લગ્ન માટે રિહર્સલ પણ શરૂ કરી દીધું છે. હાલમાં જ આલિયા અને રણબીર જામનગરમાં અંબાણીના ઘરે જોવા મળ્યા હતા.
પ્રી-વેડિંગ પાર્ટીમાં રણબીર-આલિયા કરશે પરફોર્મન્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને ગુજરાત જવા રવાના થયા હતા. કપૂર દંપતી ત્યાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે ડાન્સ રિહર્સલ માટે ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણબીર કપલની પ્રી-વેડિંગ પાર્ટીમાં રોમેન્ટિક ગીતો પર ખાસ પરફોર્મન્સ આપવાના છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ જાહેર થયું છે ત્યારથી આ ભવ્ય કાર્યક્રમને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. તેઓ આ વૈભવી લગ્નની તૈયારીઓથી લઈને દરેક નાની-મોટી બાબતો જાણવા માંગે છે. જાહેર કરાયેલા કાર્ડ મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ પ્રોગ્રામ 1 માર્ચથી 3 માર્ચ સુધી તેમના જામનગરના ઘરે ચાલશે.
રણબીર-આલિયા રિહર્સલ માટે જામનગર દેખાયા
આ મોટી ઉજવણી પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં જ રિહર્સલ માટે જામનગર પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના રોમેન્ટિક ગીતો પર પરફોર્મ કરશે. તૈયારીઓ વચ્ચે આલિયા અને રણબીર કપૂરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે અંબાણી પરિવારના જામનગર સ્થિત નિવાસસ્થાનનો હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ પ્રોગ્રામ 1 માર્ચ 2024થી શરૂ થશે અને 8 માર્ચ સુધી ચાલશે. હાલ આલિયા ભટ્ટ અને રણબીર જામનગરથી મુંબઈ પરત ફર્યા છે. રાધિકા અને અનંત અંબાણીના લગ્નનું કાર્ડ ગયા મહિને જાહેર થયું હતું. આ કપલે ગયા વર્ષે સગાઈ કરી હતી.